Arjun Modhwadia સાથે જાદુ થઈ ગયો! 30 મિનીટમાં ભાજપની સુંદરતા દેખાઈ.. પરંતુ તેમને આ સવાલનો જવાબ આપવો પડશે કે....


  • Published By :
  • Published Date : 2024-03-06 11:29:13

રાજનીતિ અને રાજનેતા અને વિશ્વાસ આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી તેવું લાગે છે.! રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ પરંતુ હવે તો રાજ કરવા માટે નીતિને બદલી દેવાય તેવું લાગે. લોકોને સુવિધા મળે, તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે કામ કરે તેને રાજનેતા કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં બનેલી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી રહી છે. વર્ષો સુધી જે પાર્ટીમાં રહ્યા હોય અને તે પાર્ટીને જ્યારે કોઈ છોડીને જાય છે ત્યારે અનેક પ્રશ્નો થાય છે. એ પક્ષ માટે ખરાબ કહ્યું હોય, જે પક્ષના નીતિની નિંદા કરી હોય અને તે પક્ષમાં જોડાયા પછી થોડા કલાકોની અંદર જ તે પક્ષના સારા કામો દેખાવા લાગે ત્યારે પ્રશ્નો થાય, પ્રશ્નો થવા સ્વભાવિક પણ છે. 

અર્જુન મોઢવાડિયા પણ એ આક્ષેપોના ઘેરામાં આવશે જે આક્ષેપો તેમણે સરકાર પર લગાવ્યા હતા!  

અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની, અંબરીશ ડેર જેવા અનેક રાજનેતાઓની જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. પાર્ટી છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ પ્રશ્નો તો અનેક ઉભા થાય છે. કોંગ્રેસનો સાથ છોડ્યા પછી સોશિયલ મીડિયા પરથી ભલે કોંગ્રેસનું નિશાન હટાવી દે પરંતુ તે આક્ષેપોનું શું જે તેમણે સત્તાધારી પક્ષ પર લગાવ્યા છે. ભાજપમાં જોડાયા નેતાઓ પણ હવે એ આક્ષેપોમાં જોડાઈ ગયા છે જે આક્ષેપો તેમણે ભાજપ પર જે તે સમયે લગાવ્યા હશે. અર્જુન મોઢવાડિયાએ અનેક ટ્વિટ કરી છે જેમાં તેમણે સરકારના દેવા વિશે, સરકારની યોજના વિશે આક્ષેપો કર્યા છે, અનેક સવાલો કર્યા છે. ભાજપમાં જોડાયા બાદ હવે તે પણ તે જ આક્ષેપનો હિસ્સો બની ગયા છે જે તેમણે લગાવ્યા હતા.


નેતાઓએ એ જવાબ આપવો પડશે કે....  

મહત્વનું છે કે જ્યારે કોઈ નેતા પક્ષ છોડે છે તે બાદ તે જે કારણ આપે છે તે ગળે ઉતરે તેવું નથી હોતું. વિપક્ષમાં રહીને જ્યારે વિકાસના કામો નથી થઈ શક્તા, લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી કારણ કે સરકાર તેમને કામો નથી કરવા દઈ રહી તેવા કારણો આપવામાં આવતા હોય છે. જનતા કામો થઈ શકે, વિસ્તારમાં વિકાસ થઈ શકે તે માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે તેવી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે પક્ષ પલટો કરનાર નેતાઓએ એ વાતનો જવાબ તો આપવો જ જોઈએ કે સત્તાધારી પક્ષમાં જોડાયા બાદ તે એ કામો કરવામાં સફળ રહ્યા જેને લઈ તેમણે પક્ષને અલવિદા કહ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ એ વાતનો જવાબ આપવો પડશે કે પોરબંદરમાં એ પ્રમાણેનો વિકાસ થયો કે નહીં જે એ ઈચ્છી રહ્યા હતા? અંબરીશ ડેરને પણ એ વાતનો જવાબ આપવો પડશે કે રેલવે લાઈનને નખાવવામાં સફળ રહ્યા જેના માટે તેમણે આંદોલન કર્યું? પક્ષ ગમે તે હોય પરંતુ કામ થવા જોઈએ જનતાના...!    



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.