બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, બે આરોપીઓ નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-06-13 21:49:12

ગુજરાતમાં 2002ના ચકચાર મચાવી દેનારા બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યાકાંડમાં 14 લોકોના મોત થયા હતા. આ મામલે 21 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પુરાવાના અભાવે વડોદરા કોર્ટે 2003માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી 2004માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા મામલો મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો.


14 લોકોના મોત થયા હતા


બેસ્ટ બેકરી પર ટોળાના હુમલામાં 14 લોકોના મોત થયા હતા. એડિશનલ સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ હર્ષદ સોલંકી અને મફત ગોહિલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી કેસમાં ટ્રાયલના પ્રથમ તબક્કા દરમિયાન મુંબઈની સેશન્સ કોર્ટે ફેબ્રુઆરી 2006માં 17માંથી નવ લોકોને દોષિત ઠેરવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે 2012માં તેમાંથી પાંચ દોષિતોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ અન્ય ચારની સજાને યથાવત રાખી હતી. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.


વડોદરામાં થયો હતો બેસ્ટ બેકરી હત્યાકાંડ


ગોધરા કાંડના બે દિવસ પછી, 1 માર્ચ, 2002 ના રોજ, ટોળાએ વડોદરામાં બેસ્ટ બેકરી પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને આગ લગાવી. ટોળાએ 14 લોકોની હત્યા પણ કરી હતી. ટોળાએ બેકરીના માલિક શેખ પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. 2003માં સ્થાનિક કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ 19 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ તેમને નિર્દોષ છોડવાની પુષ્ટિ કરી હતી.


ઝાહિરા  શેખે કરી હતી સુપ્રીમમાં અરજી


બેસ્ટ બેકરી હત્યાકાંડના પીડિતોમાંથી એક, ઝાહિરા બીબી શેખે એક એનજીઓના સહયોગથી ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીમાં ઝાહિરા  શેખે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આદેશને નિરસ્ત કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને કેસ મહારાષ્ટ્રમાં ચલાવવાનો હુકમ કર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.