રાજ્યના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રુ.450માં ગેસ સિલિન્ડર મળે તેવી શક્યતા, સરકાર કરી શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-13 21:17:08

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બન્યા બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ કારણે હવે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરની માગ ઉઠી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે દેખાવો કરી રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર પણ લોકોની માગને લઈ ભારે દબાણમાં છે. જો કે હવે રાજ્યના BPL કાર્ડ ધારકો માટે ખુશખબર આવે તેની શક્યતા છે. 


ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

 

ગુજરાતમાં વિપક્ષી પાર્ટીઓ આપ અને કોંગ્રેસ ધરણા-પ્રદર્શનો કરી રાજસ્થાનની તર્જ પર ગુજરાતમાં પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રુપિયામાં સિલિન્ડર આપવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાજસ્થાન સરકાર 450 રુપિયામાં સિલિન્ડર આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે. જો કે, હવે સમચાર સામે આવ્યા છે કે, ગુજરાત સરકાર પણ આ મામલે ટૂંકમાં નિર્ણય લઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો, રાજ્યના લાખો બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે, બજેટમાં અથવા બજેટ સત્ર દરમિયાન જાહેરાત થઈ શકે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.