સત્ર પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં લીધો ભાગ, રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓને કરી સાફ


  • Published By :
  • Published Date : 2023-02-23 13:28:34

ગાંધીનગરમાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. વિધાનસભા સંકૂલમાં આવેલી પ્રતિમાઓને સાફ કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાઓની સફાઈ કરતા નજરે પડ્યા હતા.  શંકર ચૌધરીને ત્યાં જોતા સફાઈ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સફાઈ માટે શંકર ચૌધરીએ હાથમાં ઝાડુ લીધું હતું.

 


શંકર ચૌધરીએ કરી પ્રતિમાઓની સાફ સફાઈ 

સમગ્ર દેશમાં સફાઈ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત આજથી થઈ ગઈ છે. બજેટ સત્ર હોબાળાથી ભરેલું રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ તે બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા વિધાનસભા સંકુલમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રતિમાઓને સાફ કરવામાં આવી હતી. સાફ સફાઈ અભિયાનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ સામેલ થયા હતા અને જાતે સાફ સફાઈ કરી હતી. સાફ સફાઈ કરતો તેમનો વીડિયો સામે આવ્યો છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.