Loksabha Election પહેલા Mayawatiએ ગઠબંધનને લઈ કરી વાત, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે કોઈ પણ પાર્ટી સાથે.... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 14:01:38

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. આ ઈન્ડિયા અલાયન્સમાં અનેક રાજકીય પાર્ટીઓ સામેલ થઈ છે. પરંતુ કોઈ પાર્ટી સાથે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત બસપા પ્રમુખ માયાવતી દ્વારા કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલી લડશે. કોઈ પાર્ટી સાથે 2024ની લોકસભા ચૂંટણી માટે તે ગઠબંધન નહીં કરે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સરકાર પર માયાવતીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા.      

ગઠબંધનને લઈ માયાવતી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણનીતિ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ભાજપને લોકસભામાં હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આજે માયાવતી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી બસપા એકલી લડશે, પોતાના દમ પર. કોઈની સાથે ગઠબંધન બસપા દ્વારા નહીં કરવામાં આવે. 


શું કહ્યું માયાવતીએ ગઠબંધન વિશે?

માયાવતીએ જાહેરાત કરતા કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણી બીએસપી પોતાના દમ પર લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બસપા કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે. ચૂંટણી પછી ગઠબંધન પર વિચાર કરવામાં આવશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં અમારી પાર્ટીને નુકસાન થાય છે. ગઠબંધનમાં બસપાને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.