Loksabhaની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતના સંગઠનમાં કર્યો ફેરફાર, 18 જિલ્લાનું સંગઠન કેમ બદલી નાખ્યું? જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:55:13

ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચ્યો છે. 182માંથી 156 સીટ ભાજપને ફાળે ગઈ છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જેણે પોતાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે નવા શિખરો સર કર્યા છે. અત્યાર સુધીના સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતવાના રેકોર્ડ તોડી 156 બેઠકો મેળવી. એ ભારતીય જનતા પાર્ટીના નિર્ણય પર આજે વાત કરવી છે કારણ કે આટલો વિક્રમ સર્જ્યા બાદ પણ પોતાના સંગઠનમાં બદલાવો કર્યા છે. આવું કરીને પાટીલ લગભગ ગુજરાત ભાજપના નેતાઓને એવું જણાવી રહ્યા છે કે ભાજપ નેતાઓ ધ્યાન રાખે કે વ્યક્તિ મોટા નથી સંગઠન મોટું છે. સીઆર પાટીલે સંગઠનમાં મોટા બદલાવો કર્યા છે અને 18 જિલ્લાના સંગઠનમાં ફેર બદલાવો કરી દીધા છે. 


લોકસભા 2024ની તૈયારી ભાજપે હમણાંથી શરૂ કરી 

ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ જીત બાદ પણ ઓછા મંત્રીઓ રાખ્યા અને તેમાં જ કામ ચલાવી રહી છે. લગભગ તમામ મંત્રીઓ પાસે એકથી વધારે મંત્રાલયો છે એવામાં અફવાઓ એવી ઉડી રહી છે કે નવા મંત્રીઓ જોડાશે. આવી વાતોની વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે અને લોકસભા 2024 જીતવા માટે પ્રયાસો વધારી દીધા છે. ભાજપનો આ વખતે પણ પ્રયાસ છે કે ગયા વખતની જેમ 26માંથી 26 બેઠકો જીતે અને તેના માટેના ધમપછાડા પણ શરૂ જ છે. 


લગભગ 18 જિલ્લાઓમાં ભાજપે સંગઠનમાં કર્યા ફેરફાર 

સીઆર પાટીલે આજ વખતે એવું કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે ત્રણ વર્ષથી વધુ સમય સુધી હોદ્દો હોય તો તેમના હોદ્દાઓ છીનવી લેવાયા છે અને લગભગ 18 જેટલા જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે. તેમણે પાંચ મહાનગર પાલિકામાંથી બે મહાનગરપાલિકાનું સંગઠન બદલી નાખ્યું છે. આ સિવાય અનુસૂચિત જાતિ મોરચામાં પણ ઘણા ચહેરાઓ બદલી નાખ્યા છે. હજુ પણ ભાજપના સંગઠનમાં અનેક હોદ્દાઓ બાકી છે અને ખાલી છે તે ભરવા માટે આગામી સમયમાં નામ સામે આવે તો નવાઈ ન કહેવાય .



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.