લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને લઈને કર્યો દાવો કહ્યું....


  • Published By :
  • Published Date : 2022-12-31 09:19:16

ભારત જોડો યાત્રાને કારણે રાહુલ ગાંધી ચર્ચાઓમાં રહે છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે એક દાવો કર્યો છે કે 2024માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો બનશે.


રાહુલ ગાંધી માટે કમલનાથે આપ્યું નિવેદન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ઘણો સમય બાકી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ હમણાંથી તૈયારીઓ આરંભી દીધી છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને કારણે તેઓ અનેક વખત ચર્ચામાં પણ રહ્યા. આ યાત્રામાં અનેક નેતાઓ પણ સામેલ થયા છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાહુલ ગાંધીની ચર્ચાઓ જોર પકડે છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક નિવેદન આપ્યું છે.




રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે - કમલનાથ 

પોતાના નિવેદનમાં કમલનાથે કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ માત્ર સત્તા માટે નહીં પરંતુ જનતા માટે રાજનીતિ કરી રહ્યા છે. આવા નેતાને ખુદ જનતા સિંહાસન પર બેસાડશે. જ્યાં સુધી લોકસભાની ચૂંયણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નથી, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ તેઓ જ હશે. 


ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ નહીં કરી હોય - કમલનાથ 

ભારત જોડો યાત્રા અંગે વાત કરતા તેમણે કહ્યું કે વિશ્વના ઈતિહાસમાં કોઈએ આટલી લાંબી પદયાત્રા નહીં કરી હોય. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે આટલા બલિદાન નથી આપ્યા. વધુમાં તેમણે કહ્યું કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ભાજપ દ્વારા એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રમાં આ યાત્રા નિષ્ફળ નીવડશે પરંતુ મહારાષ્ટ્રમાં પણ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.         



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.