Lok sabha Election પહેલા CAAને લઈ Amit Shahએ કહી આ વાત, જાણો શું કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-10 13:22:57

છેલ્લા ઘણા સમયથી સીએએ એટલે કે નાગરિક્તા સંશોધન કાયદા અંગે વાતો થઈ રહી છે. એવી વાતો પણ થઈ રહી છે કે ગમે ત્યારે આ કાયદો લાગું થઈ શકે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે, અનેક મોટી જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં સીએએ લાગું કરવામાં આવશે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે સીએએ કોઈની નાગરિક્તા નહીં છીનવે. 


સીએએ લઈને અમિત શાહે કહી આ વાત

ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે સીએએ કોઈ પણ વ્યક્તિની નાગરિક્તા નહીં છીનવી લે. 'નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.


શું છે સીએએ? 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક શબ્દો સાંભળવા મળી રહ્યા છે જેવા કે યુસીસી, સીએએ... જો સીએએની વાત કરીએ તો નાગરિક્તા અધિનિયમ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા ચોક્કસ ધાર્મિક સમુદાયો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે જોગવાઈ કરે છે.   



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.