કર્ણાટકમાં ચૂંટણી પહેલા ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને ફટકારી નોટિસ! ચૂંટણી પંચે આ ભાષણો પર દિગ્ગજ નેતાઓ પાસે માગ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-05-09 10:02:35

કર્ણાટકમાં આવતી કાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પ્રચારમાં બંને પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. અનેક રોડ શો, રેલીઓ તેમજ જનસભાઓને પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ગજવી છે. ત્યારે ચૂંટણી પહેલા ચૂંટણી પંચે બંને પાર્ટી એટલે કે કોંગ્રેસ તેમજ ભાજપને નોટીસ ફટકારી છે. બંને પાર્ટીએ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોંગ્રેસે બીજેપીની જાહેરાતને લઈ વાંધો જાહેર કર્યો તો બીજેપીએ સોનિયા ગાંધીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આને જ ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને પાર્ટીને નોટિસ ફટકારી છે.      

BJP, Congress share spoils in central Gujarat | India News - Times of India

ચૂંટણી પંચે કોંગ્રેસ અને ભાજપને ફટકારી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હોય છે. કર્ણાટકની ચૂંટણીમાં આ વખતે પાર્ટી પર તો નિશાન સાધવામાં આવ્યું હતું પરંતુ નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા હોય તેવું લાગતું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન વિષ કન્યા, ઝેરીલો સાપ, નાલાયક બેટા જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને નોટિસ ફટકારવામાં આવી છે. બંને પાર્ટીએ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. 

સોનિયા ગાંધીના ભાષણને લઈ ભાજપે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ!

બીજેપીએ સોનિયા ગાંધીના ભાષને લઈ ફરિયાદ દાખલ કરાવી હતા. કોંગ્રેસની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ હુબલીમાં પ્રચાર દરમિયાન આપેલા નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સંસદીય પક્ષ ચેરપર્સન સોનિયા ગાંધીનો કર્ણાટકના 6.5 કરોડ લોકોને મજબૂત સંદેશ. કોંગ્રેસ કર્ણાટકની વિશ્વસનીયતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને ક્યારેય આંચ આવવા દેશે નહી. આ નિવદેન પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, જિતેન્દ્ર સિંહ અને પાર્ટીના નેતા અનિલ બલુનીના નેતૃત્વમાં બીજેપીના એક પ્રતિનિધિમંડળે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. અને સોનિયા ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.  

Image

જાહેરાતને લઈ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસે કરી ફરિયાદ!

તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ફરિયાદમાં જણાવ્યું કે બીજેપીએ એક અંગ્રેજી પેપરમાં જાહેરાત છાપી છે તેમાં તથ્યો વગર અનેક દાવા કરવામાં આવ્યા છે. જે કોંગ્રેસના અનુસાર તે દાવા નિરાધાર છે. ચૂંટણી પંચે જાહેરાત અંગે ખુલાસો કરવા માટે મંગળવાર રાત સુધીનો સમય આપ્યો છે. 

લોકો સુધી પહોંચવાનો પાર્ટીનો પ્રયાસ! 

મહત્વનું છે કે લોકો સુધી પહોંચવાનો એક પણ મોકો રાજકીય નેતાઓ છોડી નથી રહ્યા. કર્ણાટકમાં પ્રચાર દરમિયાન અનેક એવી તસવીરો સામે આવી જેમાં દિગ્ગજ નેતાઓ સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી હતી તો વડાપ્રધાન મોદીએ રોડ શો દરમિયાન બાળકો સાથે વાતો કરી હતી અને મસ્તી કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કર્ણાટકની જનતા કોને વોટ આપીને જીતાડે છે. આવતી કાલે યોજાનારી ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!