ચૂંટણી પૂર્વે ખોડલધામે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે ખોડલધામ બીન રાજકીય સંસ્થા છે


  • Published By :
  • Published Date : 2022-11-15 10:13:43

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. ત્યારે દરેક પાર્ટી પાટીદાર સમાજનું સમર્થન લેવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતદારોનું વર્ચસ્વના પગલે તમામ પક્ષોના નેતાઓ ખોડલધામ ટ્રસ્ટીનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ખોડલધામ સંસ્થા કોઈને ટેકો નહીં આપે - સૂત્ર

ખોડલધામના સૂત્રના જણાવ્યા મુજબ ટ્રસ્ટના નિયમો મુજબ રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ખોડલધામ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ નરેશભાઈ કે ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટી ચૂંટણી પ્રચાર નથી કરવાના. ખોડલધામ સંસ્થા કે નરેશ પટેલ કોઈ પણ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષના પાટીદાર ઉમેદવાર કે ખોડલધામ સાથે જોડાયેલ વ્યક્તિ વ્યક્તિગત રીતે તેમને ટેકો આપે તો વાત અલગ છે પરંતુ સંસ્થા કોઈને ટેકો આપવાનું નથી.

Naresh Patel Meeting With PM Modi : Know Which Central Cabinet Minster  Plays Key Role In Meeting Of PM Modi And Khodal Dham Naresh Patel | Naresh  Patel Meeting With PM Modi :

નરેશ પટેલે કરી હતી કે પીએમ સાથે મુલાકાત 

ખોડલધામના સૂત્રો અનુસાર ખોડલધામ બીનરાજકીય પક્ષ છે, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. અને થોડા સમય પહેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સંગ પીએમ મોદીની મુલાકાત લીધી હતી. એવી વાતો વહેતી થઈ હતી કે નરેશ પટેલ થોડા સમય બાદ ભાજપમાં જોડાઈ શકે છે.          




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!