બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે કરી વાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-31 12:10:34

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. સંસદમાં બંને ગૃહોના સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. ખુબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત નીકાળીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે.


રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને પહેલીવાર સંબોધન કરશે - પીએમ મોદી 

બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પીએમએ જણાવ્યું કે ભારત પહેલા,નાગરિક પહેલાની વિચારધારા સાથે આગળ  વધવું જોઈએ. અમને ઉમ્મીદ છે કે વિપક્ષી નેતા સંસદમાં આ જ વિચાર સાથે આવે. આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. રાષ્ટ્રપતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે વર્તમાન રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને પહેલી વાર સંબોધન કરવાના છે જે ગૌરવની વાત છે. આજે નારી સમ્માનનો પણ અવસર છે.

     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.