CMના આગમન પહેલા Junagadhમાં રસ્તાનું કરાયું સમારકામ, સાંભળો Devanshi Joshiએ મુખ્યમંત્રીને શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2023-09-29 14:18:09

ખરાબ રોડ રસ્તાને જોઈ ઘણી વખત આપણા મનમાં વિચાર આવતો હોય છે કે જો મુખ્યમંત્રી આ રસ્તા ઉપરથી પસાર થાય તો રસ્તાની હાલત એકદમ સુધરી જાય. રસ્તાની ખરાબ હાલત વિશે તો અનેક વખત ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે સારા રસ્તાની વાત કરવી છે. વાંચીને નવાઈ હશેને કે સારો રસ્તો કેવી રીતે સમાચાર બની શકે. પરંતુ ના રસ્તો સમાચાર એટલા માટે બન્યો છે કારણ કે તેનું સમારકામ મુખ્યમંત્રીના આગમન પહેલા કરવામાં આવ્યુ. મુખ્યમંત્રીના આગમન પહેલા જૂનાગઢ કોર્પોરેશને ખરાબ રસ્તા સારા કરાવ્યા. ખાડા પર ડામર પાથર્યું. 

સામાન્ય દિવસોમાં પણ રસ્તા પર જોવા મળે છે ખાડા 

માણસ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેને ખરાબ રસ્તાનો સામનો કરવો પડે છે અથવા તો રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડે છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે સમજીએ કે રસ્તા ખરાબ થઈ જાય. પરંતુ આપણે ત્યાં તો સામાન્ય દિવસો દરમિયાન પણ રસ્તાની હાલત ખરાબ જ હોય છે. રોડ પર અનેક ખાડા પડતા હોય છે જેને જોતા આપણને લાગે કે રસ્તા પર ખાડા છે કે ખાડા પર રસ્તા છે. 

ગુજરાતમાં કોવિડ-19થી પણ જોખમી છે ખરાબ રસ્તાઓ | Bad roads in Gujarat are  even more dangerous than Kovid 19

સીએમના આગમન પહેલા રસ્તાને કરાયા સારા 

ખરાબ રોડને કારણે અનેક લોકોને ભોગવવાનો વારો આવે છે. ત્યારે જૂનાગઢની પ્રજા નસીબદાર છે કારણ કે જૂનાગઢના રસ્તા સારા થઈ ગયા છે. રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. સારા રસ્તા એટલા માટે છે કારણ કે તે રસ્તા પરથી સામાન્ય માણસ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પસાર થવાના હતા. જૂનાગઢ ખાતે ભૂપેન્દ્ર પટેલ જવાના હતા ત્યારે તેમના આગમન પહેલા તંત્ર દ્વારા રસ્તાને સુધારવામાં આવ્યા છે. ખરાબ રસ્તાને સરખા કરવામાં આવ્યા હતા.

એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ  પૂર્યા...! - પ્રત્યક્ષ સમાચાર

CMએ એવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ જે રસ્તાની હાલત ખરાબ હોય!

ખરાબ રસ્તા ન માત્ર જૂનાગઢમાં છે પરંતુ દરેક શહેરના રસ્તાની આવી જ હાલત છે. રસ્તા પર ખાડા પડે છે તો વાહનચાલકોને વધારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. છોટાઉદેપુર, નર્મદા સહિતના વિસ્તારો એવા છે જ્યાં રસ્તા શોધવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રીને એક અપીલ છે કે દર થોડા દિવસે કોઈ એવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ જ્યાંના રસ્તા ખરાબ હોય. જો એ રસ્તા પરથી મુખ્યમંત્રી પસાર થશે તો તે ખરાબ રસ્તાની હાલત સુધરશે.    

Gujarat High Court : બિસ્માર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટે નારાજ, એફિડેવિટ  ફાઈલ રજૂ કરવાનો આપ્યો આદેશ,  gujarat-high-court-awful-road-hearing-gujarat-state-legal-authority-affidavit-file  ...




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!