ગણપતિ બાપ્પાના આગમન પહેલા વરસાદે કરી ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?


  • Published By :
  • Published Date : 2023-09-19 14:34:40

રાજ્યમાં ફરી એક વખત મેહુલો મહેરબાન જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ થવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ઘણા દિવસોથી જોવા મળી રહી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી તો કરી છે, અનેક જગ્યાઓ પર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 248 તાલુકામાં મેહુલો મન મૂકીને વરસ્યો હતો. 

 અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મેદરડા, રાધનપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી અને ભાભરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 124 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદની રિ-એન્ટ્રી થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ 

આપણે ત્યાં વરસાદને લઈ અલગ અલગ કહેવતો કહેવાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે અનેક વાતો કહેતા હોઈએ છીએ. અષાઢમાં અનરાધાર, શ્રાવણમાં શ્રીકાર, ભાદરવો ભરપૂર જેવા વાક્યો આપણે કહેતા હોઈએ છીએ. ત્યારે ભાદરવાને લઈ કરવામાં આવેલી વાતો સાચી સાબિત થઈ રહી છે. ભાદરવો ભરપૂર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદે જમાવટ કરી છે. વરસાદે રિ-એન્ટ્રી કરી છે જેને કારણે વાતાવરણમાં તો પલટો આવ્યો છે પરંતુ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ઓગસ્ટ મહિનામાં વરસાદે જગતના તાતને દુખી કર્યા હતા. પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનો ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો. 


અનેક જગ્યાઓ પર સર્જાઈ હતી પુર જેવી પરિસ્થિતિ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અથવા તો વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં છુટાછવાયા વરસાદની વાત કરવામાં આવતી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદની વાત કરવામાં આવી રહી છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો....






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.