21મી સદીમાં જીવીએ છીએ એ વાત કહેતા પહેલા આ સમાચાર વાંચજો, Surendranagarમાં અંધશ્રદ્ધાના નામે 10 મહિનાની દીકરીને અપાયો ડામ


  • Published By :
  • Published Date : 2023-08-05 16:45:47

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, વિજ્ઞાનમાં કરવામાં આવેલી પ્રગતિની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને થાય કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ તે કહેવું ખોટું છે. આજે પણ અંધશ્રદ્ધાના નામ પર લોકોને બલી ચઢાવવામાં આવે છે, આજે પણ એવા અનેક ગામો છે જ્યાં બાળક બિમાર હોય તો તેને હોસ્પિટલ નહીં પરંતુ ભૂવાની પાસે લઈ જવામાં આવે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.   


ડામ આપ્યા બાદ પણ તબિયત ન સુધરતા ડોક્ટર પાસે લઈ જવાઈ 

અંધશ્રદ્ધાના નામ પર અનેક લોકોનો ભોગ લેવાયો છે. તે લોકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એક આખો એવો વર્ગ હજી પણ આપણને જોવા મળે છે જે ભૂવાઓ પર વિશ્વાસ રાખે છે, અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખે છે. જ્યારે બાળક બિમાર પડે ત્યારે ડોક્ટરની પાસે સારવાર કરાવવા લઈ જવાની બદલીમાં ભૂવાઓ પાસે લઈ જવાય છે જ્યાં બાળક અંધશ્રદ્ધાનો ભોગ બને છે. વિરમગામથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી બીમાર પડતાં એને સોયના ડામ આપવામાં આવ્યા. જેમાં મૂળ વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થઈ. મળતી માહિતી અનુસાર બાળકીની સારવાર માટે માતા પિતા હોસ્પિટલની બદલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે લઈ ગયા. બાળકીનું નામ કોમલ છે, તેના પિતાનું નામ પ્રવીણભાઈ અને માતાનું નામ મનીષા છે. મંદિરે લઈ ગયા જ્યાં માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ આવવાનું કારણ નિમોનિયા હોવાનું સામે આવ્યું છે. 


બાળકીના પેટના ભાગે આપવામાં આવ્યા ત્રણ ડામ 

આખા ઘટનાક્રમની વાત કરીએ તો વાત એવી હતી કે બાળકીને શ્વાસની તકલીફ હતી . હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ.50થી 60 હજારનો હતો એટલે મા-બાપ પાસે એટલા પૈસા ન હોવાથી તે અંધશ્રદ્ધામાં પડીને બાળકીને ડામ આપવા માટે ગયા. ઘર નજીક સંબંધીઓએ વડગામમાં ડામ દેવામાં આવે છે તેવી સલાહ આપી અને તેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે બાળકીને ત્યાં લઈ જવાઈ. જ્યાં મંદિરનાં ભૂવાએ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. જોકે બાળકીની તબિયતમાં સુધારો નહીં થતાં તેમજ વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડીરાત્રે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને સમગ્ર મામલાની કરી. મળતી માહિતી અનુસાર હાલ બાળકીની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ગામની આ કોઈ પહેલી ઘટના નથી, પહેલા પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકોને ડામ આપવા માટે લઈ જવામાં આવ્યા છે.  


ક્યાં સુધી અંધશ્રદ્ધાનો બાળકો બનતા રહેશે ભોગ?

જ્યારે 10 માસની બાળકીને ડામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે હાથ નહીં ધ્રુજ્યા હોય ? મા બાપનો જીવ પણ કેવી રીતે ચાલ્યો હશે તે એક મોટો પ્રશ્ન છે... આ અંધશ્રદ્ધા આપણા દેશને કઈ તરફ લઈ જશે તે એક પ્રશ્ન છે કારણ કે આવા તો અનેક કિસ્સાઓ બનતા હશે. આવા બધા જ કિસ્સાઓ આપણી સામે નહીં આવતા હોય. ગુજરાતના અનેક ગામડાઓ માંથી એવા સમાચાર આવે છે કે બાળકીની બલી ચઢાવવામાં  આવી હોય, અંધશ્રદ્ધાના નામે બાળકના ફૂલ જેવા કોમળ શરીર પર ડામ આપવામાં આવશે? આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, છેક ચાંદ સુધી પહોંચી ગયા છીએ પરંતુ લોકોમાં રહેલી સંકુચિત માનસિક્તાથી બહાર નથી આવી શક્યા..  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!