Ram Mandir Pran Pratistha પહેલા PM Modi વિવિધ મંદિરોમાં કરી રહ્યા છે દર્શન, આજે TamilNaduના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 13:12:56

અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનુષ્ઠાનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી આજે તમિલનાડુના તિરૂચિરાપલ્લી પહોંચ્યા હતા અને ત્યાં આવેલા શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પોતાના હાથે ગજરાજને ગોળ ખવડાવ્યો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદીએ શ્રી રામાયણ પારાયણનો પાઠ પણ સાંભળ્યો.

  

पीएम मोदी ने त्रिची के श्री रंगनाथस्वामी मंदिर में दर्शन पूजन किया. इस दौरान उन्होंने गजराज का आशीर्वाद लिया. (ANI Photo)

પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી અનુષ્ઠાન વિધી 

22 જાન્યુઆરીના રોજ ભગવાનની મૂર્તિની સ્થાપના રામ મંદિરમાં થશે. એ ક્ષણની રાહ ઘણા વર્ષો સુધી અનેક ભક્તોએ જોઈ છે. ભગવાન રામ અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક ભક્તોની લાગણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભલે 22 જાન્યુઆરીએ થવાનો છે પરંતુ તે પહેલા અનેક અનુષ્ઠાનના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ વિધી કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત હશે.


ગજરાજના લીધા પીએમ મોદીએ આશીર્વાદ

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. આજે પીએમ મોદીએ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં આવેલા રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરમાં પૂજા વિધી કરી હતી. તે બાદ ગજરાજના આશીર્વાદ લીધા, ગજરાજને ગોળ ખવડાવ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદી રામેશ્વરમ પણ જવાના છે. તે બાદ અરૂલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે પીએમ મોદી એવા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેનો ઉલ્લેખ રામાયણમાં છે અથવા તો રામ ભગવાન સાથે જોડાયેલા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.