પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કરી પત્રકાર પરિષદ, પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પૂર્વ મંત્રી વિશે કરી વાત!


  • Published By :
  • Published Date : 2023-04-21 13:01:51

યુવરાજસિંહ જાડેજા ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા છે. નિવેદન આપતા પહેલા યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે મોટા આક્ષેપો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે?   



જીતુ વાઘાણીના નામનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ!  

ડમી કાંડ મામલે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોતાનું નિવેદન આપવા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતા. તે પહેલા તેમણે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોટા રાજકીય માથા આ આખું કૌભાંડ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. અસિત વોરાની પણ તપાસ કરવામાં આવે તેવી યુવરાજસિંહે માગ કરી હતી.    


આ મોટા માથા વિરૂદ્ધ કરાય કાર્યવાહીની કરી માગ! 

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે? તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અવધેશ પટેલ, હિરેન,અખિલેશ,જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે તે જરૂરી છે. 

 

શું યુવરાજસિંહની થશે ધરપકડ?

યુવરાજસિંહે એવું પણ કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કૌભાંડ 2004થી ચાલી રહ્યું છે. ત્યારે યુવરાજસિંહને પોતાની ધરપકડ થવાની આશંકા છે. ધરપકડ થવાની શક્યતા સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું યુવરાજસિંહની ધરપકડ થવાની છે?           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.