CBI સામે રજૂ થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું 'જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી'


  • Published By :
  • Published Date : 2023-04-15 15:23:49

અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થવાનો છે. દિલ્હીમાં લીકર પોલીસીને લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે આ મામલે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સીબીઆઈનું તેડુ આવ્યું છે. તપાસ એજન્સીએ 14 એપ્રિલે નોટીસ પાઠવી હતી. જેને લઈ રવિવારે  સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા નોટીસ પાઠવવામાં આવી હતી. 

જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી - અરવિંદ કેજરીવાલ 

આવતીકાલે તપાસ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય તે પહેલા  શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીબીઆઈ અને ઈડી પર આરોપ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ અમારા સરકારના બે મંત્રીઓને જેલમાં પૂરી દીધા છે. તેમનો વિચાર હતો કે બે નંબર (મનીષ સિસોદીયા) અને ત્રીજા નંબર (સત્યેન્દ્ર જૈન)ની ધરપકડ કરી લીધી છે. જેથી મારા સુધી તે પહોંચી શકે છે. આ ફસાવવાની કોશિશ થઈ રહી છે. જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.

     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.