Loksabha Election માટે BJP ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા Gautam Gambhirએ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત!, આપ્યું આ કારણ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:22:21

છેલ્લા અનેક દિવસો એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતાઓ રહેલી છે. ભાજપ ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તે પહેલા જ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરે પોસ્ટ શેર કરી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને વિનંતી કરી છે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે. રાજનીતિની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને કરી છે. 

આ રાજ્યો માટે ભાજપ ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત !

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ અનેક સાંસદોના પત્તા કાપી શકે છે. અનેક નવા ચહેરાઓને ભાજપ તક આપી શકે છે. ગૌતમ ગંભીરની ટિકીટ કપાય તે પહેલા જ ગૌતમ ગંભીરે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે રાજનીતિમાંથી. તે દિલ્હીથી ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે તે પહેલા ગૌતમ ગંભીરે રાજનીતિથી સંન્યાસ લીધો છે. ભાજપની જે પ્રથમ યાદી આવવાની છે તેમાં ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપ ચૂંટણી માટે કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો પણ નવાઈ નહીં કારણ કે નામ જાહેર કરવામાં ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતું હોય છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે