Loksabha Election માટે BJP ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા Gautam Gambhirએ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત!, આપ્યું આ કારણ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:22:21

છેલ્લા અનેક દિવસો એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતાઓ રહેલી છે. ભાજપ ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તે પહેલા જ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરે પોસ્ટ શેર કરી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને વિનંતી કરી છે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે. રાજનીતિની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને કરી છે. 

આ રાજ્યો માટે ભાજપ ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત !

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ અનેક સાંસદોના પત્તા કાપી શકે છે. અનેક નવા ચહેરાઓને ભાજપ તક આપી શકે છે. ગૌતમ ગંભીરની ટિકીટ કપાય તે પહેલા જ ગૌતમ ગંભીરે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે રાજનીતિમાંથી. તે દિલ્હીથી ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે તે પહેલા ગૌતમ ગંભીરે રાજનીતિથી સંન્યાસ લીધો છે. ભાજપની જે પ્રથમ યાદી આવવાની છે તેમાં ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપ ચૂંટણી માટે કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો પણ નવાઈ નહીં કારણ કે નામ જાહેર કરવામાં ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતું હોય છે. 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.