ટિકિટ ફાળવણી પહેલા આ ઉમેદવારોને આવ્યા ફોન, તમામની ટિકિટ લગભગ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2022-11-10 10:33:08

ભાજપ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે ઉમેદવારોને ફોન કરી ઉમેદવારોને આ અંગે જાણકારી અપાઈ રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારથી હાઈ કમાન્ડની બેઠક પૂર્ણ  થઈ છે ત્યારથી નેતાઓને ફોન આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિકિટ ફાઈનલ છે. જગદીશ પંચાલની પણ ટિકિટ ફાઈનલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે જસદણ બેઠત માટે કુંવરજી બાવળીયાને ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, પૂર્વ બેઠક પર ઉદય કાનગડનું નામ કન્ફમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં નો રિપિર્ટ થિયરી લાગુ કરવામાં આવશે.   

સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવશે, તેમજ વરાછાથી કિશોર કાનાણી, પ્રવીણ ઘોઘારીને કરંજથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં સંગીતા પાટીલને, મજુરા બેઠકથી હર્ષ સંઘવી, પશ્ચિમ બેઠકથી પૂર્ણેશ મોદીને ટિકિટ મળી શકે છે.  વ્યારાથી મોહન કોંકણીને, ઉધનામાં મનુભાઈ પટેલને ફોન આવ્યો છે જ્યારે નિઝર વિધાનસભા બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીતને ટિકિટ આપી શકે છે. ધાનેરાથી મફતભાઈ પુરોહિત, ચોટીલાથી શ્યામજી ચૌધરી, ઝઘડિયાથી રિતેશ વસાવા, વિરમગામથી હાર્દિક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ફોન આવ્યો હતો. જ્યારે જીતુ સોમાણીને વાંકાનેર કુવાડવા બેઠક માટે, મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયાને, જ્યારે બ્રિજેશ મેરજાને મોરબીથી ટિકિટ આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાને પસંદ કરવામાં આવ્યા છે. જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. તેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું પાર્ટીનો આભાર માનું છું. બારડોલીથી ઈશ્વર પરમારને, રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહને ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવશે. 

અબડાસા બેઠક માટે ભાજપે પ્રધ્યુમનસિંહ જાડેજાની પસંદગી કરી છે. જ્યારે રાપર માટે વિરેન્દ્ર સિંહને ટિકિટ માટે ફોન આવ્યા હતો. ગાંધીધામથી માલતી મહેશ્વરીને રિપિટ કરવામાં આવશે. જ્યારે ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવશે. માંડવીથી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં  આવી છે. ઉપરાંત અંજાર સીટમાં ત્રિકમ બીજલભાઈ છાંગા ત્રિકમ માસ્તરને ટિકિટ આપવામાં આવી છે. 

ધારાસભ્ય જગદીશ પટેલે ટ્વીટ કરીને અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગૃહ મંત્રી અમિત શાહ, તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માન્યો હતો.





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!