વરસાદના ત્રીજા રાઉન્ડ માટે રહો તૈયાર, હવામાન વિભાગે વરસાદને લઈ કરી છે આ આગાહી, તમારા ત્યાં વરસાદ થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-07-18 10:50:17

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. 19 તેમજ 20 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે આજે એટલે કે 18 જુલાઈના રોજ બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. 


21 જુલાઈ સુધી જામશે વરસાદી માહોલ 

રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ભાવનગર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 19 થી 21 જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ 

આજે 18મી તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 19 તારીખના રોજ સૌરાષ્ટ્ર, પોરબંદર, ભરૂચ, વલસાડ, દિવ દમણ, દાદરાનગર હવેલી, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જુલાઈના રોજ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 21મી તારીખના રોજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દમણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 



અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી છે આગાહી 

23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમકે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આજથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. જામનગરમાં ભારે વરસાદ થવાની આશંકા છે. તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!