વરસાદના ત્રીજા રાઉન્ડ માટે રહો તૈયાર, હવામાન વિભાગે વરસાદને લઈ કરી છે આ આગાહી, તમારા ત્યાં વરસાદ થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-07-18 10:50:17

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. 19 તેમજ 20 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે આજે એટલે કે 18 જુલાઈના રોજ બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. 


21 જુલાઈ સુધી જામશે વરસાદી માહોલ 

રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ભાવનગર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 19 થી 21 જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ 

આજે 18મી તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 19 તારીખના રોજ સૌરાષ્ટ્ર, પોરબંદર, ભરૂચ, વલસાડ, દિવ દમણ, દાદરાનગર હવેલી, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જુલાઈના રોજ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 21મી તારીખના રોજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દમણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 



અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી છે આગાહી 

23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમકે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આજથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. જામનગરમાં ભારે વરસાદ થવાની આશંકા છે. તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.