વરસાદ માટે રહેવું પડશે તૈયાર! જાણો વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી, જાણો ક્યારે ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-09 11:28:58

કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ભલે ચોમાસાને સત્તાવાર રીતે આવવાની વાર હોય પરંતુ વાવાઝોડાને કારણે વરસાદની આગાહી ફરી એક વખત રાજ્ય માટે કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડા પર સતત નજર હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. 11થી 13 જૂન વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુરૂવારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે 30-40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે જેને કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર, અમરેલીમાં વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ જગ્યાઓ પર વરસશે વરસાદ!   

આગાહી પ્રમાણે શુક્રવારે નવસારી, વલસાડ તેમજ અમરેલીમાં વરસાદ વરસશે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી. જૂનાગઢ. અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. વડોદરા, સુરત, નવસારીમાં શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે નર્મદા, ડાંગ, પોરબંદર. તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.   હાલ તો જે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે વાવાઝોડાને કારણે આવી રહી છે. 


કેરળમાં ચોમાસાનું થઈ ગયું છે આગમન! 

જો ગુજરાતમાં ચોમાસાના આગમનની વાત કરવામાં આવે તો 20થી 25 જૂનની વચ્ચે ચોમાસાની પધરામણી થશે. કેરળમાં ચોમાસાની દસ્તક થાય તે બાદ દેશમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય છે. તારીખ 10,11 અને 12 દરમિયાન પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 અને 12 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓના સ્થળોની સંખ્યા વધુ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!