હવે BBC પર તવાઈ, આજે સવારે દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITની રેડ, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-14 14:11:00

આજે સવારે આવકવેરા વિભાગ (IT)એ BBCની નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે રેડ પાડી છે. આવકવેરા વિભાગ (IT)ની ટીમ નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે પહોંચી છે. આ રેડમાં ઈન્કમ ટેક્સ વિભાગના 60થી 70 અધિકારીઓ જોડાયા છે. ITના દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈ પણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ અધિકારીઓ ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.



દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ચાલી રહ્યો છે સર્વે


દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. BBC ઓફિસમાં આવેલા કર્મચારીઓના ફોન આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે BBC ઓફિસમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સર્વેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગના કર્મચારીઓ હાલમાં BBCની દિલ્હી અને મુંબઈ બંને ઓફિસમાં કેટલાક સર્વે કરી રહ્યા છે. BBCનું મુંબઈમાં બ્યુરો છે. આ દરમિયાન કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહીને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે.


કોંગ્રેસે આપી ઉગ્ર પ્રતિક્રિયા


કોંગ્રેસના હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું છે, પહેલા BBCની ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે BBC પર આઈટીની રેડ પડી છે, આ છે અઘોષિત કટોકટી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કહ્યું કે અમે અહીં અદાણીના મામલે જેપીસીની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી ગઈ છે. 



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.