PM Modi પર બનેલી BBC ડોક્યુમેન્ટરીને શેર કરનારાઓના ટ્વિટ બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-22 18:00:05

ભારત સરકારે યુટ્યુબ અને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે વીડિયો બ્લોક કરી દીધો છે જેમાં તેમની ટીકા કરવામાં આવી છે. આ વીડિયો બીબીસીની ડોક્યુમેન્ટરીની ક્લિપ છે. વાસ્તવમાં બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેના પહેલા એપિસોડની ક્લિપ વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ અને ટ્વિટરને આ વીડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.


આઈ ટી એક્ટનું હથિયાર ઉગામ્યું


આ વિડીયોને લઈ લગભગ 50 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. IT Rules 2021 દ્વારા સરકારને પ્રાપ્ત સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતના 2002ના રમખાણો પર આધારીત છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને પીએમ મોદીના વિરૂધ્ધ પ્રોપેગેન્ડા ગણાવવામાં આવી રહ્યા છે.


ડોક્યુમેન્ટરી મોદી વિરોધી


રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રાલય સહિત ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દસ્તાવેજી તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ ફિલ્મ દેશના પીએમ મોદી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સત્તા અને વિશ્વસનીયતા પર પ્રયાસ લગાવાનો પ્રયાસ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.