બાયડના MLA ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘરવાપસી, સી આર પાટીલે કરી માર્મિક ટકોર


  • Published By :
  • Published Date : 2023-08-29 13:53:46

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે તો રીતસર ભરતી અભિયાન જ શરૂ કરી દીધું છે. જેમાં સ્થાનિક નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે.  જેમ કે અરવલ્લીના મોડાસા ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપમાં ફરીથી એન્ટ્રી કરી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા. સી આર પાટીલે ખેસ પહેરાવીને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. જો કે આ પ્રસંગે તેમણે ધવલસિંહ ઝાલાને માર્મિક ટકોર પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.


પાટીલની ધવલસિંહ ઝાલાને માર્મિક ટકોર


ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનેને સાનમાં સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, "બાયડના ધારાસભ્ય પહેલા કોંગ્રેસ પછી ભાજપ અને ત્યારબાદ અપક્ષ અને પછી પાછું..પણ ધવલસિંહ આ બાયડના લોકો અને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે, તમે હવે ગુંદર લગાવી લો.  આમ તેમ જતાં નહીં અને અમારા કાર્યકર્તાઓને હેરાન ન કરતા. અમારા દરેક કાર્યકર્તાઓમાં થોડી-થોડી નારાજગી છે, બધાની માફી માંગી લેજો". તેમણે ધવલસિંહ ઝાલાને  કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે પણ કહ્યું હતું. તે ઉપરાંત મતવિસ્તારના લોકોને હેરાન ન કરવા અને શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહેવાની પણ ટકોર કરી હતી. 


અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી


ભાજપે ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપતા તેમણે  વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમમાં ભાજપના ખેસ સાથે કાર્યક્રમમાં જોવા મળતા હતા. ધવલસિંહ ઝાલાનો અત્યાર સુધીનો રાજકીય કાર્યકાળ ભારે ઉતાર ચઢાવ વાળો રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.