બાવાના બેય બગડ્યા !!! , મહિપત સિંહ અપક્ષથી લડશે તો કેસરી સિંહએ યુ-ટર્ન લીધું !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 16:18:42


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે ત્યારે બે દિવસ પેહલા  ભાજપ થી આપમાં આવેલા કેસરીસિંહ સોલંકી આજે પાછા યુ-ટર્ન મારી ભાજપમાં જતાં રહ્યા છે અને ચર્ચાનો વિષય બન્યો છે  કેમ કે કેસરીસિંહ 48 કલાકમાં ગુલાટી મારીને ભાજપમાં જતાં રહ્યા . 


કેસરી સિંહએ શું જવાબ આપ્યો ?


જમાવટએ કેસરીસિંહ સાથે વાત કરી અને તેમને જ્યારે પૂછ્યું છે તમે ભાજપમાં જોડાવ છો તો તેમણે કહ્યું "હું પેહલાથી ભાજપમાજ છું અને હું તો માત્ર ગોપાલ ઇટાલિયાને મળવા ગયો હતો ત્યારે ફોટો પડયો હતો હું ભાજપમાં છું અને પેહલા ઉમેદવારને લઈ ને મનમુટાવ હતો પણ હવે હું ચુંટણી નહીં લડવાનો પણ કમળને જીતાડવાના પ્રયાસ કરીશ"

અમે ત્યાર બાદ માતરના ઉમેદવાર મહિપતસિંહ સાથે પણ વાત કરી કારણ કે મહિપત સિંહને AAP દ્વારા માતરથી ટિકિટ આપવામાં આવી હતી પરંતુ કેસરીસિંહના જોડાવાના કારણે એમનું પત્તું કાપ્યુ હતું . 


મહિપત સિંહએ શું કહ્યું ?


મહિપત સિંહને પૂછવામાં આવ્યું કે હવે તમે કઈ પાર્ટીના તો તેમણે કહ્યું "હું અપક્ષ માંથી ચૂંટણી લડીશ"અને જો પાર્ટીમાંથી કઈ વાત કરવાની આવશે તો વાતચીત કરીશ પણ જે થઈ રહ્યું છે ભગવાન દેખાડી રહ્યા છે"

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે જો મહિપત સિંહ અપક્ષ થી લડશે અને કેસરી સિંહ પાછા ભાજપમાં જોડાયા છે તો હવે માતરમાં AAPથી કોણ લડશે એટલે AAPના તો "બાવાના બેય બગડ્યા "



આમતો સામાન્ય માણસ મોંઘવારીથી પરેશાન છે પણ મોંઘવારીનો માર તો જાણે મંત્રીઓને જ પડતો હોય એમ સરકારે મંત્રીઓના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કર્યો છે . હવે આ મુદ્દે વિપક્ષ જબરજસ્ત વિરોધ કરી રહી છે

અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.