મોંઘવારી પર વાર! કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-08-27 18:34:37

ચોખાના છૂટક ભાવને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સ્થાનિક પુરવઠાને વધારવા માટે વાણિજ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ટ્રેડ પ્રમોશન બોડી એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(APIEDA)ને ટન દીઠ 1,200 ડોલરથી નીચેના કોન્ટ્રાક્ટ રજીસ્ટર ન કરવા નિર્દેશ આપ્યો છે. વર્તમાન 1,200 ડોલર પ્રતિ ટનથી નીચેના કોન્ટ્રાક્ટને સ્થગિત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વિશ્વમાં ચોખાની નિકાસ પર 40 ટકા અંકુશ ધરાવતા ભારતનો નિર્ણય અમેરિકાથી લઈને આરબ દેશોમાં હાહાકાર મચવાની આશંકા છે. ભારતે અગાઉ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે બાસમતી ચોખાની નિકાસને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 


આ કારણે નિર્ણય લીધો


આ વર્ષે દેશમાં કમોસમી વરસાદ, પૂર અને અલ-નીનોના કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. એટલા માટે સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હેરાફેરીની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકારે હવે પસંદગીના બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની સંભવિત નિકાસને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને વિગતવાર માહિતી આપી હતી.


દુનિયાભરમાં મોંઘવારી વધશે


કેન્દ્ર સરકારે ગયા મહિને જ્યારે ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં ચોખાના બ્લેક માર્કેટિંગના વીડિયો સામે આવ્યા હતા. રિટેલ સ્ટોર્સની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. એક પરિવારને 9 કિલો ચોખાના મર્યાદિત સપ્લાયનો નિયમ પણ ઘણા સ્ટોર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દુબઈ અને ખાડી દેશોમાં ચોખાની નિકાસ અને પુનઃ નિકાસ પર પ્રતિબંધ હોવાના રિપોર્ટ છે. બજારમાં બાસમતી ચોખાની નિકાસ પર આવા પ્રતિબંધની ભયાનક અસર થવાની આશંકા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.