બસ નજરીએ કી હેં બાત... સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓના વીડિયો વાયરલ થયા જે જોઈ તમે પણ ખુશ થઈને કહેશો, શું વાત છે...


  • Published By :
  • Published Date : 2023-07-22 17:31:38

આપણે કહીએ છીએ છે કે દરેક માનવમાં ઈશ્વર રહેલો છે. ભગવાન પોતે આપણી સમક્ષ નથી આવતા પરંતુ કોઈ વ્યક્તિને તેમનો દુત બનાવી આપણી પાસે, આપણી મદદમાં મોકલી દેતા હોય છે. ભગવાનના રૂપમાં મદદે અનેક એવા લોકો આવતા હોય છે જેમની આપણે કલ્પના પણ ન કરી હોય. માણસોમાં પણ બે વ્યક્તિત્વ રહેલું હોય છે. એક નકારાત્મક અને એક સકારાત્મક રૂપ આપણી સૌની અંદર રહેલું હોય છે. આપણને માણસમાં રહેલી નકારાત્મકતા આપોઆપ દેખાઈ જતી હોય છે પરંતુ સકારાત્મક રૂપ આપણે શોધવું પડે છે. આ વાત પોલીસ કર્મીઓ પર પહેલા લાગુ પડતી હોય છે. 

ફરિયાદ કરવા આવેલા દાદીને ગરમી ન લાગે તે માટે પોલીસે કરી વ્યવસ્થા

કુમાર વિશ્વાસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ કર્મીઓ એક વૃદ્ધ મહિલાને ગાડીમાં બેસાડી ઘરે છોડવા જાય છે. કાનપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ કરવા જ્યારે 80 વર્ષની મહિલા પહોંચી ત્યારે તેમને પ્રેમભર્યો આવકાર આપવામાં આવ્યો અને દાદીને ગરમીમાં ઘરે ન જવું પડે તે માટે પોલીસે પોતાનની ગાડીમાં બેસાડી દાદીને મોકલ્યા. તે પહેલા પણ એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું હોય. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મી દાદાને નવા ચપ્પલ પહેરાવે છે. તે સિવાય પણ એવા અનેક વીડિયો સામે આવતા રહે છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી.      



પોલીસનું આવું રૂપ જલ્દી નથી જોવા મળતું 

પોલીસને આપણે હંમેશા દંડ વસૂલતા જોતા હોઈએ છીએ, વર્દીનો વટ પાડતા, દાદાગીરી કરતા દેખાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે આ વાતને સાચી સાબિત કરે છે. આ વાતને પૂર્ણ રીતે નકારી શકાય તેવી છે પણ નહીં. પરંતુ પોલીસનો એક બીજું રૂપ પણ હોય છે જે આપણે કદી નથી જોતા. જે પોલીસ આપણને એકદમ કડક દેખાતી હોય છે તે જ પોલીસના એવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી. પોલીસ ઉપરાંત લોકો દ્વારા કરવામાં આવતી આવી કામગીરી માનવતાને મહેંકાવતી રાખે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.