બાપુ કરી શકે છે કોંગ્રેસમાં રિ-એન્ટ્રી, મલ્લિકાર્જૂન ખડગે સાથે કરી મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-11-11 10:47:22

ગુજરાત વિધાનસભાની તારીખ જાહેર થયા બાદ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તો અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસને દિગ્ગજ નેતાનો સાથ મળી શકે છે. શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 

Gandhinagar Gujarat Assembly Election Shankarsinh Vaghela meeting  bharatsinh Solanki Congress – News18 Gujarati

શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી 

ગુજરાતની રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગમે ત્યારે રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે તો બીજી તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે મુલાકાત કરી હતી જે બાદ એવું માનવામાં રહ્યું છે કે બાપુ 12 નવેમ્બરના રોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. બાપુ પાર્ટીમાં જોડાય તે પહેલા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીનો હાથ થામી લીધો છે. 

ખડગે સાથે કરી હતી મુલાકાત 

મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારથી કોંગ્રેસમાં જોડાયા, ત્યારથી તેવી અટકળો વહેતી થઈ હતી કે બાપુ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. બાપુએ 2017ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સાડા પાંચ વર્ષ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી સમયે કોંગ્રેસમાં જવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. થોડા દિવસ પહેલા બાપુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓ કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.