બાપુ કરી શકે છે કોંગ્રેસમાં રિ-એન્ટ્રી, મલ્લિકાર્જૂન ખડગે સાથે કરી મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-11-11 10:47:22

ગુજરાત વિધાનસભાની તારીખ જાહેર થયા બાદ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તો અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસને દિગ્ગજ નેતાનો સાથ મળી શકે છે. શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 

Gandhinagar Gujarat Assembly Election Shankarsinh Vaghela meeting  bharatsinh Solanki Congress – News18 Gujarati

શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી 

ગુજરાતની રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગમે ત્યારે રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે તો બીજી તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે મુલાકાત કરી હતી જે બાદ એવું માનવામાં રહ્યું છે કે બાપુ 12 નવેમ્બરના રોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. બાપુ પાર્ટીમાં જોડાય તે પહેલા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીનો હાથ થામી લીધો છે. 

ખડગે સાથે કરી હતી મુલાકાત 

મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારથી કોંગ્રેસમાં જોડાયા, ત્યારથી તેવી અટકળો વહેતી થઈ હતી કે બાપુ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. બાપુએ 2017ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સાડા પાંચ વર્ષ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી સમયે કોંગ્રેસમાં જવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. થોડા દિવસ પહેલા બાપુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓ કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!