મથુરાઃ બાંકે બિહારી મંદિર પાસે બિલ્ડિંગની છત ધરાશાયી, 5 શ્રદ્ધાળુઓના મોત, 10 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-15 22:06:52

ઉત્તર પ્રદેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ મથુરામાં આજે 15મી ઓગસ્ટના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રખ્યાત બાંકે બિહારી મંદિર પાસે બે માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી થવાને કારણે  શ્રધ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ પીડિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાંકે બિહારી મંદિરથી માત્ર 200 મીટર દૂર એક જૂની ઈમારતની બાલ્કની ધરાશાયી થઈ ગઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. 


શ્રધ્ધાળુઓ નિકળ્યા ત્યારે સર્જાઈ દુર્ઘટના


શ્રધ્ધાળુઓ દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના કારણે અરેરાટી વ્યાપી ગઈ હતી. પીડિતોને બચાવવા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


આ લોકોના થયા મૃત્યુ


હોસ્પિટલમાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાંથી ત્રણ કાનપુરના છે, જ્યારે એક વૃંદાવનનો છે અને મૃતકોનું સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતમાં ગીતા કશ્યપ, અરવિંદ કુમાર, રશ્મિ ગુપ્તા, અંજુ અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે.


સાંકડી ગલીમાં 60 લોકો ફસાયા હતા

 

આ દુર્ઘટના મથુરાના દુસાયત વિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી, દુર્ઘટના વખતે સાંકડી ગલીમાં લગભગ 60થી વધુ લોકો હતા. ભારે ભીડના કારણે રેસ્ક્યુ ટીમ ઝડપથી પહોંચી શકી ન હતી. ત્યાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી જેના કારણે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિક લોકોએ જાતે જ કાટમાળ હટાવી ઘાયલો અને મૃતકોને તાકીદે હોસ્પિટલ પહોંચાડ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.