બાંગ્લાદેશમાં 2 દિવસમાં 14 હિંદુ મંદિરો પર હુમલા, મૂર્તિઓ ખંડિત કરી તળાવમાં ફેંકાઈ


  • Published By :
  • Published Date : 2023-02-06 21:20:12

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા વધી રહ્યા છે, હિંદુઓના પવિત્ર મંદિરોને બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. આ વખતે બે દિવસમાં 14 હિંદુ મંદિરો પર હુમલો થયો છે. આ મંદિરોને રાતના અંધકારમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. તોફાની તત્વોએ મંદિરોમાં ઘુસીને તોડફોડ કરી હતી. 


ક્યાં થયા હતા હુમલા?


બાંગ્લાદેશના પશ્ચિમ ભાગમાં આખી રાત મંદિરોમાં હુમલા થયા હતા, ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપજીલામાં 14 મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડી પાડી હતી. સ્થાનિક હિંદુ અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ હિંદુ મંદિર પર હમલો કર્યો અને મૂર્તિઓને નજીકના તળાવમાં ફેંકી દીધી હતી. આ લોકોએ સરકાર પાસે ન્યાયની માગ કરી છે અને કહ્યું છે કે તેમના મંદિરોની રક્ષા કરવામાં આવે. તોફાની તત્વોને પકડીને કડક સજા કરવાની પણ આ લોકોએ માગ કરી છે.




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.