Banaskanthaના સાંસદ Geniben Thakor જીતે માટે સમર્થકે રાખી માનતા, જીત થતા ગેનીબેન ઠાકોરે માનતા પૂરી કરી.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-08 14:47:31

ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠક જીતવાની આશા ભારતીય જનતા પાર્ટીએ રાખી હતી.. પરંતુ આ વખતે ગુજરાતની એક બેઠક પર INDIAllianceના ઉમેદવાર જીત્યા અને તે બેઠક હતી બનાસકાંઠાની.. બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની જીત થાય તેમના અનેક સમર્થકોએ બાધા રાખી હતી. જીત બાદ ગેનીબેન માનતા પૂરી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગેનીબેન પાલનપુરના જહુ ધામ ગયા હતા માનતા પૂરી કરવા જ્યાં તેમને સાકરથી તોલવામાં આવ્યા..     

અનેક એવી બેઠકો હતી જ્યાં હતી રસાકસી 

લોકસભાની ચુંટણી જાહેર થઈ અને જ્યારે બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોર જીતે એ માટે ત્યાંના લોકોએ પ્રયાસ શરૂ કરી દીધા. ક્યારેક પ્રચાર, ક્યારેક ફંડીંગ કર્યું તો ક્યારેક બનાસની બેન માટે માનતા રાખી..ગેનીબેન જીતે તે માટે તેમના સમર્થકો દ્વારા, ત્યાંના લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જીત્યા બાદ માનતા ગેનીબેન પૂર્ણ કરી રહ્યા છે. 



સમર્થકોએ રાખી હતી ગેનીબેન જીતે તે માટે માનતા 

ગેનીબેનના સમર્થકોએ જહુધામમાં માતાજીની માનતા રાખી હતી કે જો ગેનીબેન જીતે તો એમને દર્શન કરાવવા લઈને આવીશું. તેમજ સાકર ભારો ભાર તોલીશું.. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. એટલે રાખેલી માનતાને પૂરી કરવા ગઈકાલે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા અને માતાજીને ધજા પણ ચઢાવી અને પછી ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરાઈ. 



ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

આ કાર્યક્રમ બાદ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું કે એક મજબૂત વિપક્ષ તરીકે અમે દેશના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડીશું. હવે વિપક્ષ મજબૂત બન્યું છે એટલે સંસદમાં પણ અવાજ મજબૂતાઈથી ઉઠશે. એ પછી રોજગારીનો પ્રશ્ન હોય કે પેપરલીકનો... આ વખતે પણ સંસદના સત્ર દરમિયાન નીટનો પ્રશ્ન ઉપાડ્યો વિપક્ષે અને એક દિવસ માટે સંસદ સ્થગિત પણ કરવામાં આવી. એટલે લોકોએ જે અમારા પર વિશ્વાસ મુક્યો છે એ કામ અમે કરીશું ... ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..