Banaskanthaના સાંસદ Geniben Thakor મળ્યા Rahul Gandhiને, આ વિષય પર બંને વચ્ચે થઈ હોઈ શકે છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-08-07 17:15:25

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે હમણાંથી સતત ચર્ચામાં છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં કઈક ઉઠલ પાથલ થાય એવા એંધાણ થાય તેવું લાગી રહ્યું છે. ગેનીબેનની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.. હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને ઉઠાવતા હોય છે.  

રાહુલ ગાંધીને મળ્યા ગેનીબેન ઠાકોર 

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા છે અને મળ્યા બાદ એમણે ટ્વિટ કરી છે એ ચર્ચાનું કેન્દ્ર છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે ગઈકાલે LOP રાહુલગાંધી શ્રીને મળ્યા અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી! અને તેમણે એકજુટ થઈને લોકોના કામ કરવાની સલાહ આપી! 


ગેનીબેનના જીત્યા બાદ કોંગ્રેસમાં ફૂંકાયા નવા પ્રાણ

એમાં જે પહેલી વાત છે કે ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરી એટલે શું કોંગ્રેસ અત્યારથી આગળની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે? કે પછી બનાસકાંઠાની પેટા ચુંટણી વિશે વાત થઈ? એ પ્રશ્ન છે પણ રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું એ પ્રમાણે જે હવે ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે એ પ્રમાણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે? જોકે ગેનીબેન ઠાકોરના જીત્યા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે અને ગેનીબેન પણ દિલ્હી જઈને પ્રદેશના અલગ અલગ મુદ્દા ઉઠાવે છે એ પછી વાઇરસનો હોય કે ગૌ મોતા . થોડા દિવસ પહેલા સંસદમાં તેમણે ગૌ માતાને લઈ નિવેદન આપ્યું હતું.



બનાસકાંઠાની ચૂંટણીને લઈ કરી હોઈ શકે છે વાત 

ગુજરાત અંગે થયેલી ચર્ચાઓની વાત કરીએ તો બનાસકાંઠાની પેટા ચુંટણી અંગે વાત થઈ હોઈ શકે કારણ કે એ સીટ કોંગ્રેસ જીતવા માંગે છે અને તૈયારીઓ પણ ખૂબ કરી રહ્યા છે ત્યારે સંગઠન કે પછી ચુંટણીની ચર્ચા થઈ એ ગેનીબેન જ કહી શકે પણ તમને શું લાગે છે ગેનીબેને રાહુલ ગાંધી સાથે હું વાત કરી હશે તે જોવાનું રહ્યું...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે