Banaskanthaના સાંસદ Geniben Thakorએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસને ભાજપની એજન્ટ ગણાવી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-12 17:22:47

ગેનીબેન ઠાકોર પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા છે.. ગેનીબેન દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતા હોય છે.. વાવના ધારાસભ્ય તરીકે જ્યારે ગેનીબેન હતા ત્યારે  તે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા હતા. અને હવે સાંસદ બન્યા બાદ પણ પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. દૂધવા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.. લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસે ભાજપ માટે કામ કર્યું હોય તેવું કહેવાનો તેમને તાત્પર્ય હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને ભાજપના એજન્ટ ગણાવ્યા!

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

આ વખતની લોકસભાની ચૂંટણી એકદમ રસપ્રદ બની હતી.. ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક મળી ન હતી. ભાજપે ગુજરાત માટે લક્ષ્ય રાખ્યો હતો કે પાંચ લાખની લીડ સાથે બેઠકો જીતવામાં આવશે.. પરંતુ આ વખતે ગુજરાતે એક બેઠકને ગુમાવી પડી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે ત્યારથી તે આક્રામક દેખાઈ રહ્યા છે. તે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા પણ દેખાય છે. પોલીસ પર તેમણે ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે.. 




પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર લડ્યા ચૂંટણી!

ગેનીબેન ઠાકોર માટે કહેવાતું હતું કે તેમની લડાઈ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે નથી પરંતુ તેમની લડાઈ સીધી પીએમ મોદી સાથે છે.. બનાસકાંઠામાં શંકર ચૌધરીનું પણ વધારે પ્રભુત્વ છે. એવું કહેવામાં આવતું કે શંકર ચૌધરીએ પોતાની આખી ટીમને લગાડી દીધી હતી રેખાબેન ચૌધરીને જીતાડવા માટે પરંતુ આ વખતની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા.. લોકો પાસેથી પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર જીત્યા.. બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગે છે..   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.