Banaskantha Loksabha Seat : Geniben Thakor દેખાયા આક્રામક, પોલીસને લઈ કહ્યું કં ભાજપનો પગાર નથી લેતા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 18:27:12

બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને રાજકીય પાર્ટી દ્વારા મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે... ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... ગેનીબેન ઠાકોર દ્વારા જબરદસ્ત માહોલ બનાવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પોલીસને લઈ ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો.   

બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને આપી છે ટિકીટ 

ગુજરાતમાં લોકસભા બેઠકોની વાત થતી હોય અને બનાસકાંઠા લોકસભા બેઠકની વાત ના થાય તેવું સામાન્ય રીતે બનતું નથી... બનાસકાંઠા લોકસભા બેઠક ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે.. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેર સભામાં અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પોલીસ પર ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા આરોપ લગાવ્યા હતા ત્યારે ફરી એક વખત પોલીસને લઈ ગેનીબેને નિવેદન આપ્યું છે.... 

 

ગેનીબેન ઠાકોરે પોલીસને લઈ આપ્યું નિવેદન 

પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરીને લઈ આની પહેલા પણ ગેનીબેન ઠાકોરે વાત કરી હતી. સભા દરમિયાન અનેક વખત ગેનીબેન ઠાકોર આક્રામક દેખાતા હોય છે ત્યારે ફરી એક વખત પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે.. જનસભાને સંબોધતી વખતે તેમણે કહ્યું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 


શંકર ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર!

પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફુલાવશે..પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર, પોલીસને આડેહાથ લીધી હતી.. પોતાના સંબોધનમાં તેમણે શંકર ચૌધરી પર પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરના નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... બનાસકાંઠામાં કાંટાની ટક્કર થવાની છે ત્યારે તમારા અંદાજે કોણ જીતશે તે અમને કમેન્ટમાં જણાવો...     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.