Banaskantha Loksabha Seat : Geniben Thakor માટે Chaitar Vasavaએ કર્યો પ્રચાર! મતદાતાને અપીલ કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:18:46

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત આપના નેતાઓ કોંગ્રેસના નેતાઓનો પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ આપના નેતાઓ સાથે દેખાય છે.. અનેક એવી બેઠકો છે જેની ચર્ચાઓ થતી હોય છે તેવી બેઠક છે ભરૂચ, બનાસકાંઠા, વલસાડ.. ત્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.

ચૈતર વસાવાએ કર્યો ગેનીબેન ઠાકોર માટે પ્રચાર

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે..બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જ્યાં બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે. ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં માહોલ બનાવ્યો છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.  


રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સંબોધી છે જનસભા

મહત્વનું છે કે બનાસકાંઠામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનસભાને સંબોધી હતી.. પીએમ મોદીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો હતો તે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કોને જીતાડે છે?    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.