Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ચાલુ ભાષણ દરમિયાન થયા ભાવુક, મતદાતાઓને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-15 15:49:35

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે કારણ કે બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ટ્રેક્ટર પર સવાર થઈ ગેનીબેન ઠાકોર સભા સ્થળ પર ગયા હતા. જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોર અચાનક ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોરના આંખોમાંથી આંસુ આવી ગયા હતા. 

ગેનીબેન ઠાકોરે ભર્યું નામાંકન ફોર્મ 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગતે મતદાન યોજાવાનું છે. આજથી લોકસભાના ઉમેદવારો દ્વારા નામાંકન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારોએ આજે નામાંકન ભર્યું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામાન્ય રીતે પણ ચર્ચામાં રહેતા હોય છે. પોતાના અંદાજ તેમજ પોતાના ભાષણને કારણે ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ થતી હોય છે. જનસભા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક દેખાયા હતા. પોલીસ પર પણ તેમણે અનેક વખત આક્ષેપો કર્યા છે. આ બધા વચ્ચે આજે ગેનીબેન ઠાકોર નામાંકન ભરવા જાય તે પહેલા જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. 



 

ભાષણ દરમિયાન ભાવુક થયા ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે જનસભાને સંબોધી રહ્યા હતા તે વખતે તે ચાલુ ભાષણ દરમિયાન અચાનક સ્ટેજ પર રડી પડ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે તેમના ચૂંટણી પ્રચારનો ખર્ચ લોકોએ જ ઉપાડી દીધો છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. રેખાબેન ચૌધરી આવતી કાલે નામાંકન ભરવાના છે....   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.