Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ચાલુ ભાષણ દરમિયાન થયા ભાવુક, મતદાતાઓને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-15 15:49:35

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે કારણ કે બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ટ્રેક્ટર પર સવાર થઈ ગેનીબેન ઠાકોર સભા સ્થળ પર ગયા હતા. જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોર અચાનક ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોરના આંખોમાંથી આંસુ આવી ગયા હતા. 

ગેનીબેન ઠાકોરે ભર્યું નામાંકન ફોર્મ 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગતે મતદાન યોજાવાનું છે. આજથી લોકસભાના ઉમેદવારો દ્વારા નામાંકન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારોએ આજે નામાંકન ભર્યું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામાન્ય રીતે પણ ચર્ચામાં રહેતા હોય છે. પોતાના અંદાજ તેમજ પોતાના ભાષણને કારણે ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ થતી હોય છે. જનસભા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક દેખાયા હતા. પોલીસ પર પણ તેમણે અનેક વખત આક્ષેપો કર્યા છે. આ બધા વચ્ચે આજે ગેનીબેન ઠાકોર નામાંકન ભરવા જાય તે પહેલા જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. 



 

ભાષણ દરમિયાન ભાવુક થયા ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે જનસભાને સંબોધી રહ્યા હતા તે વખતે તે ચાલુ ભાષણ દરમિયાન અચાનક સ્ટેજ પર રડી પડ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે તેમના ચૂંટણી પ્રચારનો ખર્ચ લોકોએ જ ઉપાડી દીધો છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. રેખાબેન ચૌધરી આવતી કાલે નામાંકન ભરવાના છે....   




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.