Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ફરી દેખાયા આક્રામક, મોંઘવારીને લઈ ભાજપ પર કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-04-30 11:24:31

બનાસકાંઠા લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે... પોતાના આક્રામક અંદાજ માટે તેઓ જાણીતા છે.. બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર થવાની છે કારણ કે આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે... ગેનીબેન  ઠાકોરે પાટણમાં કોંગ્રેસની જાહેરસભામાં સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અનેક વખત આક્રામક દેખાયા છે ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોરના નામની ઉમેદવાર તરીકે જ્યારથી જાહેરાત થઈ ત્યારે તેમના દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય હોય છે... જાહેરસભામાં તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય હોય છે. નિવેદનમાં કોઈ વખત તેઓ પોલીસ પર ગંભીર આરોપ લગાવે છે તો કોઈ વખત આડકતરી રીતે શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી પર કટાક્ષ કરે છે. ત્યારે પાટણમાં કોંગ્રેસની જાહેર સભામાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા છે..


પીએમ મોદીને લઈ ગેનીબેન ઠાકોરે કહ્યું કે...

પોતાના સંબોધનમાં ગેનીબેને ભાજપ દ્વારા જે બેઠકો પર ઉમેદવારો બદલવામા આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો.. તે સિવાય મોંઘવારીને લઈ ભાજપ પર નિશાન સાધ્યું હતું. ઉમેદવાર બદલવાનો વારો કોંગ્રેસને નથી આવ્યો. બનાસકાંઠામાં પ્રચાર માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી પણ ત્યાં પ્રચાર કરવા આવવાના છે.. ત્યારે પોતાના સંબોધનમાં તેમણે આ વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે બનાસકાંઠામાં ગરીબ ઘરની દીકરીને હરાવવા વડાપ્રધાને આવું પડે એના થી મોટી વાત શું હોય.. 


જ્યારે જમાવટની ટીમે કરી હતી બનાસકાંઠાના લોકો સાથે વાત 

મહત્વનું છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર દ્વારા માહોલ તો જબદદસ્ત બનાવવામાં આવ્યો છે તે કહીએ તો અતિશયોક્તિ નથી.. જમાવટની ટીમ જ્યારે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા કવર કરવા ગઈ હતી ત્યારે ગેનીબેન ઠાકોરના અને રેખાબેન ચૌધરી બંને ઉમેદવારોના સમર્થકો મળ્યા. લોકો ઉમેદવારોને લઈ એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા. ત્યારે જોવાનું રહ્યું ગેનીબેન ઠાકોરને મળતો જનસમર્થન વોટમાં પરિવર્તિત થાય છે?        



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.