Banaskantha Loksabha : ગેનીબેન ઠાકોરે માન્યો લોકોનો આભાર, કાર્યક્રમ દરમિયાન કહ્યું પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી કે....સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-04-12 17:34:23

26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચર્ચાઓ માત્ર અમુક બેઠકોની થતી હોય છે. ચૂંટણીનો માહોલ જાણે અનેક બેઠકો પર જ જામ્યો હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક, બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક છે. અમુક જ બેઠકો એવી છે જે ચર્ચામાં રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે કારણ કે ત્યાં બંને રાજકીય પાર્ટીઓએ મહિલાને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તેની ચર્ચા થઈ રહી છે...

ગેનીબેન ઠાકોર જોરશોરથી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર 

જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન અનેક વખત આક્રામક દેખાયા હતા. અનેક વખત એવા નિવેદન આપ્યા જેને કારણે વિવાદ પણ સર્જાયા.. થોડા સમય પહેલા તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે, લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.



આ બેઠક રસપ્રદ રહેવાની છે કારણ કે... 

વધુમાં તેમણે તેમણે કહ્યું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે, જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો. મહત્વનું છે કે આ બેઠક રસપ્રદ રહેવાની છે ત્યારે જોવું રહ્યું કે કોને સાંસદ તરીકે બનાસકાંઠાના લોકો પસંદ કરે છે અને સંસદ સુધી પહોંચાડે છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.