Banaskantha લોકસભા સીટ : ભાજપના રેખાબેન ચૌધરી આ તારીખે તો ગેનીબેન ઠાકોર આ દિવસે ભરશે ઉમેદવારી ફોર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 11:20:39

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે ચાર બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. આ બધા વચ્ચે ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે.   


બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે જામશે જંગ  

લોકસભા ચૂંટણી માટે જ્યારથી રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચૂંટણીનો જંગ જામી ગયો લાગે છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ગુજરાતની અનેક બેઠકો સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે જેવી કે ભરૂચ લોકસભા સીટ જ્યાં ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાની પસંદગી કરી છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે.  બનાસકાંઠા લોકસભા સીટ પર બંને પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. 


આ તારીખે ઉમેદવારો ભરી શકે છે ઉમેદવારી ફોર્મ

ઉમેદવાર તરીકે નામની જાહેરાત થયા બાદ જાહેર સભાના, પ્રચારના અનેક વીડિયો સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારોની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો પણ ધીમે ધીમે સામે આવી રહી છે. પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો બનાસકાંઠામાં બંને પાર્ટીના ઉમેદવાર કઈ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેની માહિતી સામે આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે નામાંકન નોંધાવશે. મહત્વનું છે કે ટૂંક સમયમાં બેઠકો માટે ઉમેદવારો નામાંકન નોંધાવશે. ઉલ્લેખનિય છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ માટે ઉમેદવાર જશે ત્યારે શક્તિપ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવશે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.