Banaskantha : જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત હતા ત્યાં સર્જાયા એવા દ્રશ્યો જે જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 10:36:37

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પડાપડી કરી રહ્યા છે. એ વીડિયોને જોતા લાગતું હશે કે, એક પ્રશ્ન હશે કે આ પડાપડી શેના માટે થઈ રહી છે. એવી ધક્કામુક્કી લોકો દ્વારા કરવામાં આવી રહી છે જેને જોઈ લાગશે કે જો આ ભીડમાં કોઈ પડ્યું તો તેના તો ભૂક્કા બોલાઈ જશે! તો તમને જણાઈ દઈએ કે આ પડાપડી અને ખેચમતાણીના દ્રશ્યો સરકારી એક કાર્યક્રમથી સામે આવ્યા છે.  જેમાં લોકો ફૂડ પેકેટ માટે અને ટીશર્ટ માટે પડાપડી કરી રહ્યા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો છે કે આને લઇ અલગ અલગ પ્રકારની કમેંટ્સ પાસ કરી રહ્યા છે. 

બનાસકાંઠા ખાતે આયોજીત કરાયો હતો કાર્યક્રમ 

PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એ દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં તેઓ ફૂડ પેકેટ અને ટી-શર્ટ માટે પડાપડી કરતા હોવાનું દેખાય છે.


ટી-શર્ટ અને ફૂડ પેકેટ માટે લોકોએ કરી પડાપડી!

બનાસકાંઠાના ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં લોકોએ રીતસર ટી-શર્ટ અને ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી હતી. પબ્લિકે ફૂડ પેકેટ માટે ગાડીને ઘેરી લીધી હતી. કેટલાક યુવકો ગાડી પર ચડીને ફૂડ પેકેટના થેલાની લૂંટ મચાવીને દોડ્યા હતા. તો ગાડીની પાછળ દોડતા દોડતા વૃદ્ધ અડફેટે આવી જતા પડી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે.


પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે.... 

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં PMS જણાવ્યું હતું કે, "મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે".



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે