બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની પશુપાલકોને મોટી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:06:12

એશિયાની સૌથી મોટી દૂધની ડેરી બનાસડેરી પશુપાલકોના માટે ઉઠાવતા પગલાઓ માટે અને કામગીરીના કારણે પ્રખ્યાત છે. આજે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસકાંઠાના પશુપાલકોના હિતમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી. 


મહિલા સંમેલનમાં શંકર ચૌધરીની મોટી જાહેરાત

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં શંકર ચૌધરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી હતી. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બનાસડેરીમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 


બનાસડેરીની પશુપાલકોને થશે ફાયદો

અગાઉ દૂધ પ્રતિકિલો ફેટે 735 રૂપિયામાં દૂધ પૂરાવતા હતા જ્યારે જાહેરાત બાદ હવે દૂધ પ્રતિ કિલો ફેટે 765 રૂપિયામાં પૂરાવશે. બનાસકાંઠાના પશુપાલકો બનાસડેરીમાં દૂધ પહોંચાડશે ત્યારે તેમને પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને આ નિર્ણયથી ફાયદો થશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.