શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ પર રોકઃ ચૂંટણી પંચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:57:39

ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર હાલ રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોત-પોતાના ચૂંટણી ચિહ્ન મામલે દસ્તાવેજો રજૂ કરવાનો સમય આપ્યો હતો. બંને પક્ષ ફ્રી ચિહ્નોમાંથી પોતાની પસંદની પ્રાથમિકતાના આધારે જણાવી શકશે. 


ચૂંટણી પંચની શિવસેનાના ધનુષબાણ પર રોક 

મહારાષ્ટ્ર વિધાનસભા પેટા ચૂંટણી મામલે આગામી અંધેરીની ચૂંટણી મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપમાં કોણ શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણનો ઉપયોગ કરે તે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. સમગ્ર મામલે ચૂંટણી પંચને નિર્ણય લેવા માટે સૂચન કર્યું હતું. ત્યારે આજે નિર્ણય લેવાયો છે કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર પર રોક લગાવી દેવાઈ છે. ચૂંટણી પંચે બંને જૂથને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોતાના ચૂંટણી ચિહ્ન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના બંધારણના નિયમો અનુસાર, શીર્ષ સ્તર પર પાર્ટીમાં એક પ્રમુખ અને એક રાષ્ટ્રીય કાર્યકારિણી છે. 


ચૂંટણી પંચે કહ્યું છે કે 25 જૂન, 2022ના ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ ચૂંટણી પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં અમુક ધારાસભ્યો પાર્ટી વિરોધી કામગીરી કરી રહ્યા છે તેવી સૂચના આપી છે. અનિલ દેસાઈએ શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.