દિવસ દરમિયાન ખાનગી લક્ઝરી બસોના અમદાવાદમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત, હાઈકોર્ટે શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-19 19:53:56

અમદાવાદમાં ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સવારે 8 થી રાત્રીના 10 વાગ્યા સુધી ટ્રાવેલ્સને પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી બસોને સવારે 8 થી રાત્રીનાં 10 વાગ્યા સુધી ફરમાવેલા પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અને ધંધા-રોજગારનાં અધિકારનો ઉલ્લેખ કરી જાહેરનામું રદ્દ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બાબતે હાઈકોર્ટે કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત ન હોવાનું કહ્યું હતું અને અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો.


પોલીસ કમિશનરના જાહેરનામાને પડકાર્યું હતું 


પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં સવારના આઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં આપવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેર નામાને હાઇકોર્ટે લીલીઝંડી આપી હતી. શહેરી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું.


DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે કરી હતી બેઠક


અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામામાં ફેરફાર થયો છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારે નવા જાહેરનામામાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી મળી છે. પહેલા શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાનો સમય હતો. જે બદલવામાં આવ્યો છે. ત્યારે 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.


સંચાલકોએ પણ ચીમકી ઉચ્ચારી


અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગ ઉઠાવી છે. એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે. જે બાબતે ટ્રાવેલ્સ એજન્સીઓનાં સંચાલકો દ્વારા પણ ચીમકી ઉચ્ચારી હતી કે, જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર ઉભી રાખી દેવામાં આવશે. તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે. મહત્વનું છે કે, અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે. તેવી ચીમકી થોડા સમય અગાઉ ઉચ્ચારી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!