કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ, ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરશો તો થશે કાર્યવાહી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 09:46:03

છેલ્લા ઘણા સમયથી કેદારનાથ મંદિર કોઈને કોઈને રીતે ચર્ચામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલાએ મંદિરની સામે તેના બોયફેન્ડને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં બાદ અનેક ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તેવી માગ ઉઠી હતી. ત્યારે કેદારનાથ મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસરથી સામે આવતા વીડિયોને લઈ કેદારનાથ મંદિર કમિટી એક્શન મોડમાં આવી ગઈ છે. મંદિર પરિસરમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેમાં લખાયેલું છે કે મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ  મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર લાગી નો એન્ટ્રી!

યંગસ્ટર્સમાં ચારધામ યાત્રાનો કેઝ વધતો જોવા મળી રહ્યો છે. અનેક યુવાનો ચારધામ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. કેદરાનાથને લઈ બનેલી અનેક ફિલ્મોને કારણે પણ યુવાનો ત્યાં જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુવાનો ફોટો, વીડિયો તેમજ રીલ્સ બનાવતા હોય છે અને તે અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં એક નાનકડી બાળકી જ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે દર્શન કરતી બતાવાઈ હતી, બાકી બધા ફોનમાં ફોટો ક્લીક કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાનો કેઝ યુવાનોમાં જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. મંદિરની સામે એક છોકરી પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી હતી. તે સિવાય પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો તેમજ રિલ્સને રોકવા મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ ફોટો અથવા વીડિયો ગ્રાફી કરતા પકડાશે તે કાર્યવાહી કરવામાં  આવશે.


યોગ્ય કપડાં પહેરીને મંદિરમાં આવવા માટે લાગ્યા બોર્ડ!

વીડિયો તેમજ ફોટોગ્રાફી પર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા લોકોની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિર પરિસરમાં યોગ્ય વસ્ત્રો પહેરીને આવવા માટે પણ બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે અનેક મંદિરો દ્વારા આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના પણ અનેક મંદિરો દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવા વસ્ત્ર પરિધાન પહેરીને મંદિરે દર્શન કરવા આવવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે કેદારનાથધામમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્ત્રોને લઈ લેવાયા નિર્ણયનું ભક્તો સ્વાગત કરી રહ્યા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!