વલ્લભ ભટ્ટનું રુપ લઈ મા બહુચરે રાખી ભટ્ટજીની લાજ, ભર શિયાળે નાતને જમાડી રસ-રોટલી


  • Published By :
  • Published Date : 2022-11-24 14:46:00

ગીતાજીમાં માગશર મહિનાનો મહિમા બતાવવામાં આવ્યો છે. અર્જૂનને ઉપદેશ્ય આપતા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે મહિનાઓમાં હું માગશર છું. માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે વલ્લભભટ્ટની કસોટી કરવા અનેક જ્ઞાતિબંધુએ આખી નાથને શિયાળામાં રસની માગ કરી હતી. ત્યારે વલ્લભ ભટ્ટે માતા બહુચરની આરાધના કરી હતી અને બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ નાતને ભર શિયાળે રસ રોટલી પીરસી હતી.

એવું માનવામાં આવે છે જો તમે સાચા દિલથી ભગવાનને માનો છો તો ભગવાન તમારૂ ક્યારેય નીચે નથી પડવા દેતા. ભગવાન તમારી લાજ રાખી દે છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં ભગવાને ભક્તની લાજ રાખી છે. તેમાં સૌથી પ્રખ્યાત છે માતા બહુચરની કહાની. વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ દેવી બહુચરે તેમનું રૂપ ધારણ કર્યું હતું. ભર શિયાળે વલ્લભ ભટ્ટની જ્ઞાતિના લોકોએ કેરીનો રસ ખાવાની માગ કરી. લોકોએ વલ્લભ ભટ્ટની મજાક ઉડાવા આવી માગ કરી હતી. 

jay bahuchar maa Images Gadhvi Sagar - ShareChat - ભારતનું પોતાનું ભારતીય  સોશ્યલ નેટવર્ક

સમાજના લોકોની આવી માગણી સાંભળતા વલ્લભ ભટ્ટ ચિંતામાં મૂકાઈ ગયા કે ભર શિયાળે કેરી રસ ક્યાંથી લાવો. બધાને પોતાના ઘર પાસે બેસાડી તેઓ નવાપુરા પહોંચ્યા હતા. તે સમયે વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ ધારણ કર્યું હતું અને આખી મેવાડા બ્રાહ્મણની નાતને ભર શિયાળે રસ રોટલી જમાડી હતી. ત્યારથી માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીના મંદિરોમાં કેરીનો રસ અને રોટલીનો જમણવાર રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતાજી બહુચરનો પ્રાગટ્ય થયો હતો.    


આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ આપણને બહુચર બાવનીમાં મળે છે. વલ્લભ ભટ્ટ દ્વારા રચાયેલી બાવનીમાં ઉલ્લેખ છે કે સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને સોમવાર, બહુચરમાના નામે કરી, નોંતરા સૌને કીધાં ફરી, રસ રોટલીની માગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત. ભક્તની લાજ રાખવા માતાજીએ વલ્લભ ભટ્ટનું અને નારસંગા વીર મહારાજનું રૂપ ધારણ કરી ભર શિયાળે બ્રાહ્મણની નાતને રસ-રોટલી જમાડી હતી અને ભક્તની લાજ રાખી. આજે પણ બહુચર માતાના મંદિરે માગશર સુદ બીજના દિવસે પ્રસાદીમાં રસ અને રોટલી આપવામાં આવે છે. 




ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.