Bagodara Accident : સુણદા ગામમાં છવાઈ ગમગીની જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક જ પરિવારના 6 સભ્યોની ઉઠી અર્થી, ગ્રામજનોનું હૈયાફાટ રૂદન


  • Published By :
  • Published Date : 2023-08-12 13:40:45

અકસ્માતને કારણે અનેક પરિવારના માળા વિખેરાઈ જતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10થી વધારે લોકોના મોત થઈ ગયા હતા. બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં છોટા હાથી રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને કાઢવા મુશ્કેલ હતા. પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા સુણદા ગામના વતની હતા. મોડી રાત્રે જ્યારે મૃતકોના મૃતદેહ ગામમાં પહોંચ્યા ત્યારે ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. એક સાથે 6 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

 


ટ્રક સાથે છોટા હાથી ભટકાતા સર્જાયો અકસ્માત   

કોઈ પણ વ્યક્તિ માટે એ સૌથી પીડાદાયક ક્ષણ હોય છે જ્યારે એ પોતાના પરિવારના સભ્યને અંતિમ વિદાય આપી રહ્યો હોય છે. જ્યારે પરિવારજન અનંતની યાત્રાએ નીકળે છે ત્યારે પરિવારમાં એવી સ્થિતિ સર્જાતી હોય, કે કોણ કોના આંસુ લૂંછે? ગામડામાં તો એવું વાતાવરણ જોવા મળતું હોય છે જાણે આખું ગામ પરિવાર હોય. ત્યારે ગઈકાલે ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર ઉભેલો ટ્રક તેમના માટે કાળ બન્યો હતો. છોટા હાથીમાં જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળ પર જ 10 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સારવાર અર્થે જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે વધુ એક વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 


એક સાથે ઉઠી એક જ પરિવારના 6 લોકોની અર્થી 

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શવ જ્યારે તેમના ગામે પહોંચ્યા ત્યારે આખા ગામમાં ગમગીની ફેલાઈ. એક સાથે 6 અર્થીઓ ઉઠતા જાણે આખું ગામ હિબકે ચઢ્યું હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ભીની આંખે ગામલોકોએ અંતિમ વિદાય આપી હતી. અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તેમાંથી 6 વ્યક્તિઓ સુણદા ગામના હતા, 3 મૃતકો મહિસાગર જિલ્લાના હતા ભરૂચ તેમજ બાલાસિનોરના એક વ્યક્તિના મોત આ દુર્ઘટનામાં થયા હતા. મૃતકોના મૃતદેહોને જ્યારે ગામડે લઈ જવાયા ત્યારે રાત્રે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના 6 સભ્યોની અર્થી ઉઠતા આખુ ગામ હિબકે ચઢ્યું હતું. એક સાથે 6 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.


 ગામના સરપંચ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મને સવારે જાણ થતાની સાથે જ હું અને અન્ય વડીલો સાથે ધોળકા પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહોની ઓળખાણ કરતા 6 વ્યક્તિઓ અમારા ગામના હતા.

મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અંતિમયાત્રામાં 

જ્યારે મૃતકોની અંતિમયાત્રા નિકળી હતી ત્યારે ગ્રામજનો શોક મગ્ન બન્યા હતા. 3 હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. ઓછી વસતી ધરાવતા ગામમાં એક સાથે 6 લોકોના મોત થતાં જાણે આખા ગામના લોકોએ પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. મહત્વનું છે અકસ્માતમાં અનેક જીંદગીઓ ઓલવાતી હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે.   

 ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ સુણદા ગામે રહેતા ઝાલા પરિવારના 19 જેટલા લોકો પરિવારના સદસ્યની માનતા પૂર્ણ કરવા માટે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે ગયા હતા ત્યારે આવતા સમયે બગોદરા-બાવળા હાઈવે પર ગોજારો અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ગામમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે. ગોજારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો હતો. ગામમાં મોટાભાગના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, પરિવારના પડખે આવી ઉભા રહ્યા હતા.

             



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!