'બદલુરામ કા બદન' ગીત પર ઝુમે છે સેનાના જવાનો, જાણો કોણ છે બદલુરામ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:22:48

તમે ઘણીવાર ભારતીય સેનાના કેટલાક આવા વીડિયો જોયા હશે જેમાં કેટલાક સૈનિકો એક ગીત પર ડાન્સ કરતા હોય છે. આ ગીત છે 'બદલુરામ કા બદન' અને આ ગીત પર ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો ડાન્સ કરતા જોવા મળે છે. આસામ રેજિમેન્ટ સેનાની સૌથી જૂની રેજિમેન્ટ છે અને બદલુરામ આ રેજિમેન્ટનું પ્રખ્યાત ગીત છે. તમને જાણીને નવાઈ લાગશે કે બદલુરામનું રાશન ખાવાથી જ બીજા વિશ્વ યુધ્ધ વખતે ઘણા સૈનિકોના જીવ બચ્યા હતા. બદલુરામ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમનું રાશન અને આ ગીત અમર થઈ ગયા છે. જાણો કોણ હતો એ બદલુરામ જેનું રાશન સેના ખાતી હતી.


આ ગીત પાછળની કહાની શું છે?


‘બદલુરામ કા બદન ઝમીન કે નીચે ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ’, આ ગીત હવે માત્ર આસામ રેજિમેન્ટનું જ નહીં પરંતુ દરેકનું ફેવરિટ છે. સોશિયલ મીડિયાએ આ ગીતને એક નવી ઓળખ આપી છે. લિજેન્ડ બદલુરામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટના સૈનિક હતા. બદલુરામ યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. તેમના મૃત્યુ પછી, તેમના રાશનથી 100થી વધુ સૈનિકોની ભૂખ સંતોષાઈ જ્યારે જાપાની સેનાએ તેમને ઘેરી લીધા અને તેમના રાશનનો પુરવઠો કાપી નાખ્યો હતો. ઘણા દિવસો સુધી આ રાશન પર સૈનિકો જીવતા હતા. આ યુદ્ધ દરમિયાન રાશન પાણીની ભારે તંગી હોવાથી ક્વાર્ટર માસ્ટરે મૃતક બદલુરામના નામનું રાશન ચાલુ જ રાખ્યું હતું. તેથી અન્ય જવાનોને પણ જમવાનું મળી રહ્યું હતું. આ યુદ્ધ ભારત જીતી ગયું હતું. જેમાં બદલુરામના રાશને મદદ કરી હતી. જેથી આસામ રેજીમેન્ટ દ્વારા બદલુરામને યાદ રાખવા આવું ગીત બનવામાં આવ્યું અને આજે પણ જવાનો જોશ વધારવા આના પર ડાન્સ કરે છે.નોંધપાત્ર રીતે, આસામ રેજિમેન્ટની સ્થાપના 15 જૂન 1941ના રોજ શિલોંગમાં કરવામાં આવી હતી. આ રેજિમેન્ટની સ્થાપનાનો હેતુ જાપાનના વધતા જતા ખતરાનો સામનો કરવાનો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.