રાજ્યમાં ભરશિયાળે અષાઢી માહોલ, સવારે 20 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, ખેડૂતો થયા ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-11-26 13:55:56

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


                                 – ખલીલ ધનતેજવી


 

રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.ગુજરાતમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ જ્યારે પાટણ-વેરાવણમાં સવા ઈંચ, વંથલીમાં 1 ઈંચ  વરસાદ નોંધાયો છે. છે. રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.


Image



સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ


સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારમાં શિયાળાની ઠંડીના બદલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, જાફરાબાદ, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના, અરવલ્લી, બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: ભાભર, સુઈગામ અને વાવ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફો઼ડી બની છે.


રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટનાં માલિયાસણ ઓરબ્રિજ પર તો મનાલી જેવો માહોલ છવાયો છે. આ બ્રિજ પર કરાના વરસાદને કારણે બરફની ચાદર છવાઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો આ બ્રિજ પર આવીને આવા વાતાવરણની મઝા માણી રહ્યા છે.



ખેડૂતોની દશા માઠી 


કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે. વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો   તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.