ખરાબ હવામાનને કારણે ઘઉં-ચોખાનું થયું છે ઓછુૃં ઉત્પાદન


  • Published By :
  • Published Date : 2022-12-16 16:26:20

દેશમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. ખાદ્યવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખરાબ હવામાનને કારણે ફરી અનાજના ભાવમાં વધારો થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે અનાજોનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજનો મોંઘવારી દર ઓક્ટોબર મહિનાના 12.8 ટકાથી વધીને 12.96 ટકા થઈ છે. સમગ્ર મોંઘવારી દર 11 મહિનામાં પહેલીવાર ભારતીય રીઝર્વ બેંકમા 6 ટકાના લક્ષ્યની અંદર આવ્યો છે. ત્યારે પણ આ પરિસ્થિતિ છે. 


ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં થયો ઘટાડો 

સરકારના એક અંદાજ મૂજબ ઘઉં અને ચોખા બંનેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનનું સ્તર ગત વર્ષ કરતા ઓછું રહ્યું છે. ઘઉંનો છૂટક મોંઘવારી દર ઓક્ટોબરમાં 17.64 ટકા હતો જે વધીને નવેમ્બરમાં 19.67 ટકા થઈ ગયો છે. ઉપરાંત ચોખાનો મોંઘવારી દર પણ વધ્યો છે. ઓક્ટોબરમાં મોંઘવારી દર 10.21 ટકા હતો જે નવેમ્બરમાં 10.51 ટકા થઈ ગયો હતો. 


ઓછા વરસાદને કારણે પાકને થયું નુકસાન 

બંને મુખ્ય અનાજોના ઉત્પાદનમાં પ્રતિકુળ મોસમના કારણે આ ઘટાડો આવ્યો છે. 2022માં જ્યારે રવિ પાકની કાપણીનો સમય થયો તે દરમિયાન અચાનક ગરમીનું સ્તર વધી ગયું હતું. તો પૂર્વ ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યમાં બિહાર, ઝારખંડ. યુપીમાં ઓછા વરસાદના કારણે ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું હતું. 


ખરીફ સિઝનમાં ઓછું થયું છે ચોખાનું ઉત્પાદન 

રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.64 કરોડ અંદાજવામાં આવ્યું છે જે ગયા વર્ષ કરતા ઓછું ઉત્પાદન થયું છે. ગયા વર્ષ કરતા આ વખતે અંદાજીત 38 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અચાનક ગરમી પડવાને કારણે આ ઉત્પાદન ઘટ્યું છે. પ્રાથમિક અંદાજ અનુસાર હાલમાં પૂરી થયેલ ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાની આશા છે જે ગત વર્ષની સરખામણી 6.05 ટકા ઓછું છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.