તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, આ દિગ્ગજે શોને અલવિદા કહ્યું


  • Published By :
  • Published Date : 2023-01-03 16:02:48

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અનેક કલાકારો અલવિદા કહી રહ્યા છે. લોકપ્રિય બની ગયેલા શોને અનેક કલાકારો છોડી રહ્યા છે. દયાભાભીનું કિરદાર નિભાવનાર દિશા વાકાણીતો વર્ષોથી શોમાં દેખાતા નથી. થોડા સમય પહેલા તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેષ લોઢાએ પણ શોને છોડી દીધો છે ત્યારે શોના ડાયરેક્ટરે પણ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇતિહાસ રચવાની તૈયારીમાં, જાણો શું છે મામલો | Tarak  Mehta Ka Ulta Chashma In preparation to make history, find out what the  matter is

શોના ડાયરેક્ટર માલવ રાજદાએ શોને કહ્યું અલવિદા  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોને કલાકારો અલવિદા કહી રહ્યા છે ઉપરાંત અનેક કિરદારો બદલાઈ પણ ગયા છે. છેલ્લા અનેક વર્ષોથી દિશા વાકાણી શોમાં દેખાઈ નથી રહ્યા અને તે ક્યારે પાછા ફરશે તે અંગેની માહિતી પણ નથી મળી રહી. ઉપરાંત શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા હતા તે ટપ્પુની ભૂમિકા ભજનાર કલાકારે પણ શો છોડવાના છે. આ બધા વચ્ચે શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને ક્વીટ કરી દીધો છે.


આ કારણોસર ડાયરેક્ટરે છોડયો શો 

મળતી માહિતી અનુસાર માલવ રાજદાએ 15 ડિસેમ્બરે આ શોનું અંતિમ શૂટિંગ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે માલવ રાજદા અને પ્રોડ્કશન હાઉસ વચ્ચે અનબન થવાને કારણે શો છોડી રહ્યા છે. પરંતુ આ વાતનો ઈન્કાર કર્યો છે. શો છોડવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે મારી ક્રિયેટીવીટીને આગળ વધારવા શોને છોડવું અનિવાર્ય હતું.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે